Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 199
________________ જેવો દુઃખી હતો તેવો જ થઈને રહે છે. જગતમાં બાહ્ય પદાર્થોના સંયોગમાં લીન થવાથી મનુષ્ય દુઃખને ભૂલી જાય છે. અને ઘણો સમય પસાર થવા છતાં તેને સમયનું ભાન રહેતું નથી. તેમ યોગી જેના પરિણામ પરમાર્થ સુખનાં કારણોમાં લીન છે, અથવા ઉઠે કે અમ જેવા શ્રેષ્ઠ અક્ષરોમાં લીન છે તેવો યોગી તેના શરીરને છેદન-ભેદન થાય કે શીત-ઉષ્ણ વાતાવરણ હોય તોપણ તે જાણતો નથી, દુઃખી થતો નથી. કલાકો અને દિવસો સુધી એ શ્રેષ્ઠ અક્ષરોમાં એકાકાર બની જઈને આ જગતના દેહાદિ દશ્યો પણ તેને વિસ્તૃત થાય છે. પછી શેષ જીવન એ મંત્રાક્ષરોની આરાધનામાં સમાપ્ત થાય છે. ઊંઘતાં, જાગતાં, સૂતાં કે બેસતાં એક જ લીનતા બની રહે છે. વળી તે લીનતામાં આત્મિક સુખના આહલાદમાં તે ઘણો કાળ વ્યતીત થવા છતાં પણ જાણતો નથી. मृगमित्रो यदा योगी वनवाससुखे रतः। तदा विषयशर्मेच्छामृगतृष्णा विलीयते ॥ १९० ॥ ભાવાર્થ : જ્યારે યોગી પુરુષ પશુઓનો મિત્ર બની વનવાસના સુખમાં રક્ત બને છે ત્યારે તેની વિષય-સુખોની ઈચ્છારૂપી મૃગતૃષ્ણાનો નાશ થાય છે. વિવેચન : વનવાસી એવા યોગીઓમાં અહિંસાવ્રતને પરિણામે તેમના રોમેરોમમાં પ્રેમતત્ત્વ એવું વિકાસ પામે છે કે પશુઓ પણ અન્યોન્ય વિરોધી પ્રકૃતિ ત્યજીને મિત્ર બને છે. અને યોગી પુરુષને પણ તેમની સાથે મૈત્રીભાવ રહે છે. જેમ સ્વજનો સાથે રહેતો મનુષ્ય નિર્ભય રહે છે, તેમ યોગીજનો વનવાસમાં પશુઓ સાથે નિર્ભય થઈને રહે છે. સિંહની ગુફામાં યોગી પશુની સાથે રહે, સપના રાફડા પાસે યોગી અને સર્પ સાથે રહે, વાઘ તો યોગીના નિવાસસ્થાને સેવક થઈને રહે. સસલાં-હરણાં તો જાણે યોગીનાં જ સંતાનો હોય તેમ તેમની પાસે લાડ કરે, ખિસકોલા, ચકલા તો તેમના શરીર ઉપર ચઢે ઊતર કે રમે, વન્ય પશુઓ સાથેની યોગીની આત્મીયતા, પ્રેમતત્ત્વ ૧૯૦ મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222