Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 197
________________ વિવેચન : પરમાર્થ એટલે તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તો પર પદાર્થોના નિમિત્તે થતાં સુખદુઃખ મનની કલ્પના છે. જો ઈન્દ્રિયાદિ વિષયો - સુખરૂપ હોય તો તેમાં ઘડીકમાં વૃદ્ધિ અને ઘડીકમાં માંગ એવું કંઠ ન હોય. જો ઇન્દ્રિયોમાં સ્વયં સુખરૂપ પદાર્થ હોય તો તેમાં ક્ષણિકતા ન હોય, એથી સુખદુઃખ કાલ્પિત છે. જીવે ઊભી કરેલી આ કલ્પનાઓ જીવનના અણમોલ સમયને વેડફી નાંખે છે. ધારો કે એક કીમતી હીરો છે, ઝગમગ ઝગમગ થાય છે. તેના ઉપર આંખ ઠરે છે. જો તે હીરો પોતાનો હોય તો સુખ ઉપજે છે બીજા પાસે હોય તો દુઃખ ઊપજે છે. માટે વિચાર કરવો કે હીરો સુખનું કે દુઃખનું કારણ છે કે તારા મનની કલ્પના છે. જો તને સાચા હીરાની પરખ હોય તો તારો પોતાનો આત્મા જ અત્યંત પ્રકાશિત-જ્ઞાનમય, હીરાને જાણવાવાળો છે. તેને જાણીને જ સુખી થા. પરમાર્થથી સુખદુઃખની કલ્પના એટલા માટે છે કે ઈષ્ટ પદાર્થ મળતા સુખ ઊપજે છે અને એ પદાર્થનો વિયોગ થતાં સુખનો વિયોગ થાય છે. પદાર્થ સુખરૂપ છે કે તારા પોતામાં સુખ છે તેનો વિચાર કર. માટે પદાર્થો પ્રત્યે દીનતા કરવી કે તેનું માહાભ્ય રાખવું તે વ્યર્થ છે. વળી જે વસ્તુ કે વ્યક્તિ આજે સુખરૂપ જણાય છે તે વસ્તુ કાલે દુઃખરૂપ જણાય છે. બહારના રૂપ જોવા ગમતા હતા પણ આંખમાં દરદ થાય તો તે પદાર્થો દુ:ખરૂપ જણાય છે. આજે પત્ની-પતિ અન્યોન્ય સ્નેહવાળા છે, કંઈ વિચારભેદ થાય તો તે સંબંધ ક્લેશરૂપ થાય છે. સામાન્યરૂપે કોઈની પાસે અસ્ત્ર-શસ્ત્રને જોતાં ભય લાગે છે. અને ગુમડું થયું હોય તો અસ્ત્રથી કપાવવામાં પણ સુખની કલ્પના છે. આથી સુખદુઃખ એ કલ્પના મનાય છે. દુઃખનો સાચો સ્વીકાર આત્માને જાગ્રત કરે છે. તે દુઃખને સહન કરીને દુઃખથી પર બનાવે ૧૮૮ મંગલમય યોગ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222