Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 193
________________ હશે કે કેમ ? પણ જ્ઞાનીઓ તને તારી પૂરી સંસારયાત્રા કહે છે. તારી કલ્પનામાં એ વાત બેસે કે નહિ. પણ જ્ઞાનીના નિસ્પૃહકથન પર વિશ્વાસ કરજે. તું એક એવા સ્થાને, ભયંકર ભીડમાં હતો કે ત્યાં તને તારા અસ્તિત્વનું ભાન ન હતું. તને જગત જાણતું પણ ન હતું. સર્વજ્ઞ ભગવાને પૂર્ણ જ્ઞાનમાં એ દશામાં જીવોને જોઈ એ નિર્દેશ કર્યો કે ચૌદલોકમાં ચારે દિશાઓમાં સૂક્ષ્મ જીવો (નિગોદના) રહેલા છે. આંખની પલકમાં તો તેમના જન્મમરણ નિરંતર થયા કરે છે. ત્યાંથી કાળે કરીને તે નીકળ્યો. ઘણી ભીડમાં રહેવા છતાં નજરે દેખાય તેવું તારું અસ્તિત્વ વિકસ્યું (કંદમૂળ) પછી તો પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં અને વાયુમાં જન્મ-મરણ કરતો, તે તે શરીરને ધારણ કરતો છોડતો ખૂબ લાંબો કાળ ગુમાવ્યો, ત્યાં શું પામ્યો ? તદ્દન પરાધીન દશા, છેદાયો, શાસ્ત્રોથી હણાયો, સળગ્યો, ઉકળ્યો એમ મહાદુઃખ પામ્યો. એકેન્દ્રિયથી કંઈક ખસ્યો ત્યારે તને બે ઇન્દ્રિય મળી તો પણ પરાધીન તો ખરો જ. ઘણા કાળે ત્રણ ઇન્દ્રિય પામ્યો. તને લાગ્યું કે હવે ત્રણ ઇન્દ્રિય મળી, હાલવા-ચાલવાનું મળ્યું હવે સુખી ! ના ભાઈ તારા દુઃખનો કંઈ પાર નથી, ચાર ઇન્દ્રિય પામ્યો. તિર્યંચ પંચેન્દ્રિય થયો, પણ પરાધીન દશા, ભયજનિત જીવન અને વન્ય પશુઓનો ત્રાસ, આમ તારા દુઃખનું શું વર્ણન કરે ! આવી દશામાં પુદ્ગલ પરાવર્તે રખડ્યો. પુલ પરાવર્ત : સમસ્ત વિશ્વમાં જેટલા (અનંત) પુદ્ગલ પરમાણુઓ પથરાયેલા છે, તેના નિરંતર ભેદ-સંઘાત ભેગા થવું વિખરાયું થયા કરે છે. તે પરમાણુઓને તે એકએક કરી જન્મમરણ ગ્રહણ કરી છોડ્યા છે, તે પણ ક્રમ પ્રમાણે સ્પર્શીને મૂક્યા છે. તે સર્વ પરમાણુ ક્રમમાં ગ્રહણ કરતા અને મૂકતા જેટલો કાળ જાય તે પુદ્ગલ પરાવર્ત છે. દરેક જીવે અનંતકાળમાં અનંત પગલા પરાવર્તો કર્યા છે. હવે મળેલો આ માનવદેહ અને ધર્મનો સુયોગ પામી ભાવિ પુદ્ગલ પરાવર્તે ન થાય. ચરમ પુદ્ગલપરાવર્તની ૧૮૪ મંગલમય યોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222