Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 17
________________ વગેરે દોષોને વશ ન થાઓ; તેમજ મન-વચન-કાયાની વર્તમાન કરણી પર ભાવી દીર્ઘ સદ્ગતિ-દુર્ગતિની પરંપરા સર્જાવાનું સમજી રાખી જીવનને દોષ-દુષ્કૃત્યોથી કલુષિત ન કરતાં, સગુણો-સવિચારો અને સત્કૃત્યોથી સુશોભિત કરતા ચાલો.' ભારતીય ધર્મોની આ પરલોકદૃષ્ટિની શિક્ષાનો એ પ્રભાવ હતો કે પ્રજામાં, કાયદો અને પોલિસ જે ગુના નથી અટકાવી શક્તા, ને જે ગુણ ધોરણ નથી જમાવી શક્તા, એ આ શિક્ષા ગુનાની અટકાયત અને સગુણ-સુકૃતોની પ્રેરણા કરી શક્તી. આજે એમાં બહુ છાસ દેખાય છે એ ભારતમાં ઘુસેલી પાશ્ચાત્ય શિક્ષાએ આત્મવાદ અને પરલોકષ્ટિ ભૂલાવ્યાને લીધે છે. એ ભૂલાવાને લીધે કાયદા અને કોર્ટ આદિ વ્યવસ્થાનું જોર ખૂબ વધવા છતાં ચોરી બેઈમાની, લાંચ-રૂશ્વત, દુરાચાર-દુર્વિનય હિંસા-અસત્ય વગેરે ખૂબ જ વધી ગયા છે. માનવજાતને સુખી-સગુણી કરવી હોય તો આ જ એક ઉપાય છે કે ભારતીય ધર્મોની આત્મવાદ અને પરલોકષ્ટિને વહેલી તકે અપનાવી લેવી જોઈએ. પ્રજામાં પ્રચારિત-પ્રસારિત કરી દેવી જોઈએ. આજે હિંસા કેટલી બધી વધી છે? પવિત્ર ભારત-ભૂમિ પર આજે રાક્ષસી કcખાના ચાલું થઈ ગયા અને કરોડો પશુઓની કલેઆમ ચાલી પડી છે. એનોજ પ્રતાપ છે કે માનવો પર અતિવૃષ્ટિ, દુકાળ, પૂર, અકસ્માતો, ઋતુઓની કડકતા વગેરે કુદરતના પ્રકોપ વરસી રહ્યા છે. પાશ્ચાત્ય ધર્મો આત્મવાદ સ્વીકારતા નથી, એટલે માણસને પશુ-પંખી-કીડાની દયા, ક્યાંથી શીખવી શકે ? એકવાર નાગપુરમાં હીસ્ટ્રી-કોન્ફરન્સ મળી એવાં પ્રસંગવશ એક વિચાર ચાલ્યો કે “સમસ્ત વિશ્વમાં કોઈ એકની જયંતી મનાવવી હોય તો કઈ એક મહાન વિભૂતિની ૧ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80