________________
હિંસાના દાવાનળ વચ્ચે અહિંસા વિચારની સાચી કસોટી વિચારના વિરોધી વાતાવરણમાં થાય છે. અહિંસાની સાચી કસોટી હિંસાના દાવાનળ વચ્ચે જ થાય.
હરિયાળી ભૂમિ હોય, આસપાસ ગમતા અનુયાયીઓ હોય, સુંદર આશ્રમ અને સરસ મજાનું વાતાવરણ હોય ત્યાં અહિંસાની અગ્નિપરીક્ષા કઈ રીતે થાય ?
ભગવાન મહાવીરે વિચાર્યું કે જાણીતા પ્રદેશોમાં તો સંભાળ રાખનારા કેટલાય માનવીઓ મળે. ઓળખીતાઓ હોય એટલે આપત્તિ ન આવે. પરંતુ આત્માની કસોટી કરવી હોય તો અજાણ્યા પ્રદેશોમાં ઘૂમવું જોઈએ. અપાર દુ:ખો વચ્ચે ઝઝૂમવું જોઈએ. ચોપાસ હત્યા, હિંસા અને તિરસ્કાર હોય ત્યારે જ પ્રેમ અને અહિંસાની સાચી કસોટી થાય. આ સમયે લાઢ પ્રદેશ અતિ દુર્ગમ પ્રદેશ ગણાતો હતો. આ પ્રદેશમાં વિચરવું અત્યંત મુશ્કેલ હતું. એ યુગમાં અનાર્ય પ્રદેશ ગણાતા આ વિસ્તારના માનવીઓ જંગલી અવસ્થામાં જીવતા હતા.
હિંસા એ એમનો શોખ, કૂરતા એ એમનો આનંદ અને હત્યા એ એમનો વિજય.
આ લાઢ પ્રદેશના બે ભાગ હતા - એક વજ ભૂમિ અને બીજી શુભ્ર ભૂમિ. એ બંને વચ્ચે અજય નામની નદી વહેતી હતી. ભગવાન મહાવીરે આ બંને પ્રદેશમાં વિચરણ કર્યું. આ પ્રદેશના લોકોને કશાય વાંક-ગુના વગર સામી વ્યક્તિ પર પ્રહાર કરવો ખૂબ ગમતો. આ અનાર્ય લોકો ક્યારેક દંડ ફટકારતા, ક્યારેક પથ્થર મારતા, ક્યારેક ભાલા ફેંકતા અને તક મળે તો મુષ્ટિપ્રહાર કરતા. આવું કર્યા પછી ખુશ થઈને કિકિયારીઓ પાડતા. બીજા માનવીને રિબાવવા એ લાઢ