Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 18
________________ અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ અથવા - “નિજ પરિણામનિ કી સંભાલ મેં તાતેંગાફિલ મત હો પ્રાની' કયાંક કયાંક પરિણામ” ને માટે પરિણતિ શબ્દનો પ્રયોગ પણ મળી આવે છે. જેમ કે:- ‘પરિણતિ સબ ઇવનિ કી તીન ભાંતિ વરણી - રાગ-દ્વેષ, સુખ-દુ:ખ, પુય-પાપ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકવેદ વગેરે ચારિત્ર ગુણની પર્યાયો તો જીવના પરિણામ છે જ, અતિન્દ્રિયજ્ઞાન, આનંદ, વીતરાગતા વગેરે નિર્મલ પર્યાયો તથા જ્ઞાનનો ક્ષયોપશમ પણ પરિણામ’ શબ્દના વાચ્ય સમજવા જોઇએ. અહીં “મોહ’ શબ્દનો પ્રયોગ જાણી જોઇને કર્યો નથી, કારણ દર્શનમોહની વ્યાખ્યા વિસ્તારથી ‘અભિપ્રાય” ના પ્રકરણમાં અલગથી કરવામાં આવશે, ચારિત્રમોહની ચર્ચા તેના ભેદરૂપે આ જ પ્રકરણમાં આવી ગઇ છે. (૩) અભિપ્રાય :- “અભિપ્રાય” શબ્દ નો આશય માન્યતા કે શ્રદ્ધાનથી છે. ક્રિયા અને પરિણામ પછી ‘અભિપ્રાય” શબ્દ મૂકવામાં આવ્યો છે. એથી એટલું તો સ્પષ્ટ છે કે “અભિપ્રાય” બાહ્ય ક્રિયાઓથી ભિન્ન તો છે જ, પરિણામોથી પણ ભિન્ન કોઇ અલગ વૃત્તિ છે. પંડિત ટોડરમલજીએ તેને માટે અભિપ્રાય શબ્દની જોડે પ્રતીતિ’ અને ‘અભિનિવેશ’ શબ્દનો પ્રયોગ પણ કર્યો છે. કયાંક કયાંક “વિશ્વાસ’ અને ‘દષ્ટિકોણ” શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે. લોકમાં કોઇ કાર્ય કરવાના ઉદ્દેશ કે તેના પ્રયોજનને પણ અભિપ્રાય કહે છે. કોઇ વિષયમાં આવવાવાળા મંતવ્યને પણ અભિપ્રાય કહેવામાં આવે છે. આ મંતવ્ય પણ માન્યતાનું એક રૂપ છે. અગૃહિત મિથ્યાત્વ તથા ગૃહિત મિથ્યાત્વ “અભિપ્રાય” અર્થાત્ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાયો છે. અભિપ્રાયની વિપરીતતાને કારણે જ જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116