________________
પ૦
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
ગત વીસમી શતાબ્દીમાં સોનગઢના સંત આધ્યાત્મિક સંપુરૂષ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ૪૫ વર્ષો સુધી મિથ્યાત્વવિરૂદ્ધ અભૂતપૂર્વ ક્રાન્તિનો શંખનાદ કરી દિગમ્બર જૈન ધર્મના પ્રચાર-પ્રસારના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય રચ્યો છે. તેમની મંગલ વાણીનું રસાસ્વાદન કરવાથી મને જાણ થઇ કે છુપાયેલ ગદ્દારો માત્ર રાષ્ટ્ર અને સમાજમાં જ નથી બલ્ક આપણાં અસ્તિત્વ અર્થાત્ આત્મામાં પણ છે. અસંખ્યાત પ્રકારના મિથ્યાત્વભાવ જ આપણી અંદર છુપાયેલા ગદ્દારો છે, જેમનાથી આ જગત અજાણ છે.
આધ્યાત્મિક સંદર્ભમાં છુપાયેલા શત્રુઓનું સ્વરૂપ સમજવાથી લૌકિક સંદર્ભમાં કહેલ ઉપરોક્ત પંકિતઓનો મર્મ વધુ ઊંડાણથી ભાસિત થવા લાગે છે. આજે લાખો આત્માર્થી ભાઈ-બહેનો યથાર્થ તત્ત્વ-નિર્ણય કરી એ મિથ્યાત્વરૂપી ગુપ્ત શત્રુઓને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંઘર્ષ કરી રહ્યાં છે. એમ લાગે છે કે આ આધ્યાત્મિક ક્રાન્તિ પંચમકાળના અંત સુધી જીવતી રહેશે.
પ્રશ્ન:- બંધ અને મોક્ષ તો પરિણામોથી થાય છે, છતાં અભિપ્રાયનો મોક્ષમાર્ગ પર શો પ્રભાવ પડે છે? મિથ્યાદષ્ટિ જીવ નરક-નિગોદ અને સ્વર્ગાદિ ચારે ગતિઓમાં ભ્રમણ કરે છે, તો સંસાર ભ્રમણમાં અભિપ્રાયની શું ભૂમિકા છે?
ઉત્તર :- એ સત્ય છે કે મિથ્યાદષ્ટિને ચાર ગતિઓમાં ભ્રમણ કરવા યોગ્ય પરિણામ થાય છે. આનો અર્થ એવો થયો કે અભિપ્રાયની વિપરીતતા હોવા છતાં પરિણામ નવમી ગ્રેવેયક જવા યોગ્ય પણ થઇ જાય છે; પરંતુ જયાં સુધી વિપરીત અભિપ્રાય રહેશે, ત્યાં સુધી ચારેય ગતિઓનું બંધન છે દવા યોગ્ય સંવર-નિર્જરાના વીતરાગી પરિણામ થઇ શકતાં નથી.
વિપરીત અભિપ્રાયની ધરી પર જ શુભાશુભ પરિણામોનું ચક્ર ચાલે
એક ગાય ૧૦ ફૂટ લાંબા દોરડાથી બંધાયેલી છે અને તે દોરડું એક