Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 98
________________ અધ્યાય-૬:સ.ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ, ૫. અને અ. ૮૯ હીનતાના પ્રતિપાદક આગમ પ્રમાણ ન આપત. દ્રવ્યલિંગીના અભિપ્રાયમાં વિપરીતતા સંબંધે આ વિવેચનથી એટલું સ્પષ્ટ થાય છે કે અભિપ્રાય અર્થાત્ શ્રદ્ધાની પરિણતિ, ક્રિયા અને શુભભાવોથી નિરપેક્ષ અને સ્વતંત્ર હોય છે. વિષય કષાયરૂપ ક્રિયા અને પરિણામવાળાં સમ્યગ્દષ્ટિનો અભિપ્રાય સાચો હોય છે તથા મહાવ્રતાદિરૂપ ક્રિયા અને પરિણામવાળા મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી મુનિનો અભિપ્રાય વિપરીત હોય છે. વિપરીત અભિપ્રાયવાળા જીવને નિગોદથી માંડી નવમી ગ્રેવેયક સુધી જવા યોગ્ય પરિણામ થઇ શકે છે, તથા યથાર્થ અભિપ્રાયવાળા જીવો પણ દેવગતિમાં અસંખ્યાત વર્ષો સુધી રહી શકે છે. પ્રશ્ન :- “અભિપ્રાયની ભૂલ’ પ્રકરણ પ્રારંભ કરતાં શરૂઆતમાં જ આપે લખ્યું છે કે અમારો ઉદ્દેશ કોઇની નિંદા-પ્રશંસા કરવાનો નથી, તો પણ આપ અહીં દ્રવ્યલિંગી મુનિની હીનતા શા માટે બતાવી રહ્યાં છો? ઉત્તર :- અરે ભાઈ! અહીં તો તેઓ પ્રથમ ગુણસ્થાનવર્તી હોવાથી તેઓ મોક્ષમાર્ગી ન હોવાની યથાર્થ સ્થિતિનું જ્ઞાન કરાવ્યું છે. તેમાં નિંદાનો આશય નથી. આપણે પણ અનંત વાર એવી દશા ધારણ કરી છે, માટે આ આપણી પોતાની વાત છે, બીજાની નથી. પંડિતજીએ પોતે આઠમાં અધિકારના ચરણાનુયોગ પ્રકરણમાં દ્રવ્યલિંગીને સમ્યગ્દષ્ટિ દ્વારા વંદનીયા કહ્યા છે. તેમનું મૂળ કથન નીચે મુજબ છે : “અહીં કોઈ પ્રશ્ન કરે - સમ્યકત્વી તો દ્રવ્યલિંગીને પોતાથી હીનગુણયુક્ત માને છે, તેની ભક્તિ કેમ કરીએ? સમાધાન :- વ્યવહાર ધર્મનું સાધન દ્રવ્યલિંગીને ઘણું છે અને ભક્તિ કરવી પણ વ્યવહાર જ છે. માટે જેમ-કોઇધનવાન હોય, પરંતુકુળમાં મોટો હોય તેને કુળ અપેક્ષાએ મોટો જાણી તેનો સત્કાર કરે છે; તેમજ પોતે સમ્યકત્વ ગુણ સહિત છે, પરંતુ જે વ્યવહારધર્મમાં મુખ્ય હોય તેને વ્યવહાર ધર્મની અપેક્ષાએ ગુણાધિક માની તેની ભકિત કરે છે – એમ જાણવું.”

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116