Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 109
________________ ૧૦૦ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન ૭. ઉપવાસની ક્રિયામાં અજ્ઞાનીના પરિણામોની વિકૃતિનું વર્ણન કરો. તે સંદર્ભમાં ક્રિયા અને પરિણામોનો સુમેળ કેવી રીતે થાય છે ? ૮. ‘પરિણામોની પરંપરા' નો આશય સ્પષ્ટ કરો. ૯. ‘અભિપ્રાયની વાસના' નું સ્વરૂપ ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો. ૧૦. મહાવ્રત ધારણ કર્યા બાદ પણ અજ્ઞાનીના અભિપ્રાયમાં કઇ ભૂલ રહી જાય છે? વિસ્તારથી વિવેચન કરો. ૧૧.મિથ્યાદૃષ્ટિ મુનિ અને સમ્યગ્દષ્ટિ અવ્રતીની ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું તુલનાત્મક વિવેચન કરો. ૧૨.વિષય સેવન અને પરિષહાદિ સહન કરવામાં અજ્ઞાની અને જ્ઞાનીના પરિણામોનું તુલનાત્મક વિવેચન કરો. ૧૩.અભિપ્રાય, પરિણામ અને ક્રિયાને સુધારવાના ક્યા ક્યા ઉપાય છે ? શું શાસ્ત્રાભ્યાસ કરવાથી અભિપ્રાય અને પરિણામ સુધરી શકે? ૧૪. ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની કસોટી પર પોતાનું અને બીજાઓનું મૂલ્યાંકન ક્યા પ્રકારે કરવું જોઇએ ? ૧૫. સમ્યક્ અભિપ્રાય કેવો હોય છે ? ભાઇ ! એક વાર હરખ તો લાવ કે અહો ! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે; મારા આત્માની તાકાત હણાઇ ગઇ નથી. ‘અરેરે ! હું હીણો થઇ ગયો, વિકારી થઇ ગયો, હવે મારું શું થશે ?' એમ ડર નહિ, મુંઝાઇશ નહિ, હતાશ થા નહિ. એક વાર સ્વભાવનો ઉત્સાહ લાવ. સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116