Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 39
________________ 30 સામેલ કરવામાં આવ્યું છે. આ વિપરીતતામાં દર્શનમોહનીય કર્મ પ્રકૃતિનો ઉદય નિમિત્ત બને છે. જ્ઞાનની હીનાધિકતામાં જ્ઞાનાવરણીની પ્રકૃતિનો ક્ષયોપશમ નિમિત્ત હોય છે. ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન પ્રશ્ન:- કોઇ સરળ ઉદાહરણ આપી પરિણામ અને અભિપ્રાયનું અંતર સ્પષ્ટ કરો ? ઉત્તર :- એક માતા પોતાના તોફાની બાળકને, ભૂલ કરવા બદલ સુધારવાના ઉદ્દેશથી તેનાપર ક્રોધ કરે છે અને તેને મારે છે. અહીં ક્રિયા અને પરિણામોમાં ક્રોધ આવ્યો છતાં અભિપ્રાયમાં પોતાપણું અને હિતબુદ્ધિ છે. તે જ માતા જ્યારે પડોસણના નાના બાળકને ખોળામાં બેસાડી વહાલથી રમાડે છે ત્યારે પરિણામ અને ક્રિયામાં પ્રેમ હોવા છતાં અભિપ્રાયમાં તેના પ્રત્યે પોતાપણું કે મમત્વ નથી. આ ઉપરથી પરિણામ અને અભિપ્રાયમાં સ્પષ્ટ અંતર સમજી શકાય છે. પ્રશ્ન - cap ૧. આપણા જીવનમાં ક્રિયા રૂપી પડદા પર ઘટિત થનારી ઘટનાઓ તથા પ્રભાવોનું વિશ્લેષણ કરો. ૨. ક્રિયા અને પરિણામોની સ્વતંત્રતા સિદ્ધ કરી તેમાં નિમિત્તનૈમિત્તિક સંબંધની વ્યાખ્યા જણાવો. ૩. ‘અભિપ્રાય’ થી આપ શું સમજો છો ? ક્રિયા અને પરિણામોના સંદર્ભમાં અભિપ્રાયની વ્યાખ્યા ઉદાહરણ સહિત પ્રસ્તુત કરો.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116