Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચરણ મનુષ્ય જે કંઈ બોલે છે તે પ્રમાણે આચરણ કરતો નથી તે ફળફૂલને બદલે કેવળ ઘાસથી ભરેલા બગીચા જેવો છે. આચરણની વિશેષતા દર્શાવવાનું કારણ એ નથી કે જ્ઞાન, ધ્યાન કે શાસ્ત્રાભ્યાસ મહત્ત્વહીન છે. તે તે સ્થાને તેનું પણ અત્યંત મહત્ત્વ છે, કારણ કે જ્ઞાનાદિ આચરણને માટે પ્રેરક છે, છતાં તરતમતાની દૃષ્ટિએ વિચારીએ તો શાસ્ત્ર, ધ્યાન અને જ્ઞાનનું મહત્ત્વ ક્રમશઃ અધિકાધિક છે છતાં આચરણનું મહત્ત્વ સર્વાધિક છે. પરમાર્થમાર્ગમાં દર્શન જ્ઞાનના અંશો પ્રગટ્યા પછી, ચારિત્ર દશા પૂર્ણ શુદ્ધ થાય, પછી પૂર્ણ જ્ઞાનદર્શન પ્રગટે છે. અર્થાત્ આચારની શુદ્ધતાનું માહાભ્ય છે. અજ્ઞાનીઓથી શાસ્ત્રાભ્યાસી શ્રેષ્ઠ છે. શાસ્ત્રાભ્યાસી કરતાં જે શાસ્ત્રો કંઠે કરે તે શ્રેષ્ઠ છે. વળી જે શાસ્ત્રોનું મનન ચિંતન કરી જ્ઞાનને આત્મસાત કરે છે તે સ્વયં જ્ઞાની બને છે. તે શાસ્ત્રોને કંઠસ્થ કરવાવાળા કરતાં પણ શ્રેષ્ઠ છે. છતાં શ્રુતજ્ઞાની કરતાં આચારશુદ્ધ વિશેષ શ્રેષ્ઠ છે. વળી ઉપદેશ આપવો સરળ છે પણ આચરણ કરવું કઠણ છે. પડોશીનું કુટુંબીજન મૃત્યુ પામે તો આશ્વાસન આપવું સરળ છે, પણ પોતાના સ્વજનનો વિયોગ સહન કરવો કઠણ છે. આંસુ રોકવા કે મનને સમાવવું સરળ નથી. આવી સ્થિતિ કેવળ ગૃહસ્થત્રી – પુરુષોની છે એવું નથી. સાધુજનો પણ સુખદુઃખનો અનુભવ કરે છે કારણ કે તેઓ સાધુ છે, સિદ્ધ નથી. ચૌદ હજાર સાધુઓના ગુરુ, ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ્રથમ ગણધર ગૌતમસ્વામીની કેવી સ્થિતિ થઈ હતી તે આપણે જાણીએ છીએ. તેમણે ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળ્યા અને રાતભર વિલાપ કરતા જ રહ્યા, ત્યાં તો ચોથા પ્રહરમાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું, તેઓ વિચારવા લાગ્યા કે અરે ! ભગવાન મહાવીરનું શરીર તો નશ્વર હતું તે એક દિવસ છૂટવાનું હતું. વળી તેમના ઉપદેશ વચનોનો જે સહારો છે, તેનાથી જગતના જીવોનું અવશ્ય કલ્યાણ થશે. ખરેખર મારો વિલાપ મોહવશ છે. આંસુ સારવાથી, કે આર્તધ્યાન કરવાથી શો લાભ છે? અરે હું કેવો છું? ભગવાનનો ઉપદેશ શ્રવણ કરતો રહ્યો પણ વિરાગથી દૂર રહ્યો. ધિક્કાર છે મને. આમ તો હું ભગવાન મહાવીરનો પટ્ટશિષ્ય છું. પરંતુ તેમની પાછળની મારી વિલાપયુક્ત બાળચે દર્શાવે છે કે હું રાગી શિષ્ય હતો. થઈ તે થઈ, પણ હવે હું મારી જાતને વિતરાગી બનાવું. આવા અનેક પ્રકારના વિચાર મંથન દ્વારા તેઓ રાગાદિ ભાવથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154