Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 149
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ જીવન વિકાસનાં વીસ સોપાન સાહેબને તેમના પ્રશ્નનો ઉત્તર પણ મળી ગયો, મુલ્લાએ એક પંથ દો કાજ કરી લીધાં. આ પ્રમાણે તપસ્યા દ્વારા જીવ શારીરિક - માનસિક સ્વાસ્થ્ય તો પ્રાપ્ત કરે છે પણ સાથે સાથે કર્મોની નિર્જરા પણ કરે છે. તપસ્યા પ્રસન્નતાપૂર્વક થવી જોઈએ, નહિ તો તેનો કોઈ લાભ નથી, કરેલો શ્રમ વ્યર્થ જાય છે. મુંબઈમાં ચોપાટી પર ભાગીદારીમાં શરબતની દુકાન શરૂ કરી બંનેએ માલની ખરીદીમાં અર્ધો અર્ધો અર્ધો હિસ્સો રોક્યો હતો. તેમણે નક્કી કર્યું કે શરબતનો એક ગ્લાસ એક રૂપિયામાં વેચીશું અને બંને આઠ આઠ આની લઈ લઈશું. અને તેમાંથી ખર્ચ બાદ કરતાં જે રકમ બચશે તે આવક થશે. બંને બપોર સુધી બેઠા, છતાં એક પણ ગ્રાહક આવ્યો નહિ, મુલ્લાને તરસ લાગી, તેમણે ભાગીદાર પાસે શરબતનો ગ્લાસ માંગ્યો, તેણે જવાબ આપ્યો કે ‘આ તો દુકાન છે ઉધારી ચાલશે નહિ.’’ મુલ્લાના ખિસ્સામાં એક રૂપિયો હતો, તે તેણે ભાગીદારને આપ્યો અને શરબત પીધું. ભાગીદારે આઠ આના (પચાસ પૈસા) મુલ્લાને આપી દીધા. થોડા સમય પછી ભાગીદારને તરસ લાગી, તેણે પણ મુલ્લાજીની જેમ શરબત પીધું. બંનેને પોતાના આઠઆના પાછા મળ્યા. ગ્રાહક તો કોઈ આવ્યું નહિ, પણ બંને એ પ્રમાણે વારંવાર શરબત પીવા લાગ્યા અને આઠ આના બંનેના ખિસ્સામાં ફરતા રહ્યા. સાંજ સુધી શરબત સમાપ્ત થઈ ગયું. બંનેના ખિસામાં રૂપિયો જેમ હતો તેમ રહ્યો. ખર્ચેલી રકમ પાછી મળી નહિ. ઘેર જઈ મુલ્લાએ પત્નીને કહ્યું કે વ્યાપાર તો બપોરથી સાંજ સુધી ચાલ્યો પણ આવક કંઈ થઈ નહિ. આમ જો તપશ્ચર્યા સમજપૂર્વક અને આત્મ કલ્યાણ માટે કરવામાં આવે તો તેનો ઘણો લાભ મળતો હોય છે. રાજગુરુ દ્રોણાચાર્યે લોટનો કબૂતર બનાવી વૃક્ષ પર લટકાવી દીધો. પછી પોતાના શિષ્યોની લક્ષ્યવેધ પરીક્ષા લીધી. બાણ છોડતાં પહેલાં દરેક શિષ્યને તેમણે પૂછ્યું કે તમને અહીં શું શું દેખાય છે ? દરેકના ઉત્તરો પરથી નક્કી થયું કે કોઈને ગુરુદેવ, કોઈને અન્યનું શરીર, કોઈને વૃક્ષ, શાખાઓ કે પાંદડાં, કોઈને ફળ ફૂલ કે પક્ષી દેખાતાં હતાં. પરંતુ જ્યારે અર્જુનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મને ફક્ત પક્ષીની આખં જ દેખાય છે, દ્રોણાચાર્ય આ ઉત્તરથી અત્યતં પ્રસન્ન થયા, તેમણે તરત જ અર્જુનને બાણ છોડવાનો આદેશ આપ્યો. અર્જુને સફળતાપૂર્વક લક્ષ્યવેધ કરીને સર્વને પ્રભાવિત કરી દીધા. આ પ્રમાણે સાધકને સંસાર ત્યાગની પોતાની લક્ષ્ય સિદ્ધિ સિવાય કંઈ જ ઉપાદેય ન હોય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154