Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 147
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ જીવન વિકાસનાં વીસ સોપાન સંસાર ભાડૂતી મકાન છે, એક દિવસ તેને છોડવું પડશે કે બદલવું પડશે. મોક્ષ સ્વતંત્ર પોતાનું મકાન છે, તે પ્રાપ્ત કર્યા પછી કોઈ છોડવાનું કહેશે નહિ, ત્યાં રહેવાનો પોતાનો અધિકાર છે. જેનમાં વિનય છે તેનામાં શ્રદ્ધા છે, અર્થાતુ સમ્યગદર્શન છે, જેનામાં સમ્યગદર્શન છે તેનામાં સમ્યગુજ્ઞાન છે, તેથી તેના વિવેકસહિત હેય ઉપાદેય અને શેયને સમજી શકે છે, ત્યાર પછી સમ્યગુ ચારિત્ર જીવનમાં ક્રમશઃ આવે છે. કે જે મોક્ષ સુધી લઈ જાય છે. જે પ્રકારે પક્ષી બે પાંખો વડે ગગન વિહાર કરે છે તે પ્રકારે જ્ઞાન અને આચરણ વડે જીવ મોક્ષ પ્રત્યે જઈ શકે છે. જ્ઞાનવિમાચાં મોક્ષ જ્ઞાન અનુસાર ક્રિયા વડે મોક્ષ પ્રાપ્ત થાય છે. માનવ જેવું જ્ઞાન પ્રકાશ છે તો ક્રિયા ગતિ છે, જ્ઞાન જો લંગડો છે, તો ધર્મ અંધ જેવો છે. લંગડો આંધળાના ખભે બેસીને કિનારા સુધી પહોંચે છે. જ્ઞાનસહિત ક્રિયા કરે તો મોક્ષની યાત્રા દૂર નથી. વૈદિક ઋષિ કહે છે કે “તિ રતિ | ” ચાલતા રહો ચાલતા રહો.” મહાત્મા બુદ્ધ કહે છે કે માલોચુનો પલ છે પ્રમાદ મૃત્યુનું કારણ છે. પ્રભુમહાવીર કહે છે. “સમર્થ રોયના ના ” “હે ગૌતમ! એક ક્ષણમાત્રનો પ્રમાદ ન કર.” સર્વનો ઉપદેશ એક જ છે કે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો આપણે ધર્મનું પાલન શીઘ્રતાથી પ્રારંભ કરવું જોઈએ, મોક્ષ પ્રાપ્તિ પછી ધર્મ કરવાની તો જરૂર નહિ. આત્મા સ્વયં ધર્મરૂપ, મોક્ષરૂપ પ્રગટ થશે. પગમાં કાંટો વાગે ત્યારે આપણે તેને સોય દ્વારા કાઢીએ છીએ, પછી સોયને છોડી દઈએ છીએ. પ્રવચનો, યુક્તિઓ, ઉપદેશ શાસ્ત્ર અધ્યયન, આ સર્વની આવશ્યકતા ત્યાં સુધી રહેવાની કે જ્યાં સુધી મનમાં મોહનું સામ્રાજ્ય હશે, મોહ સમાપ્ત થતાં તે સર્વ સાધન છૂટી જશે. જ્યારે મોહરૂપી કાદવ મનમાંથી દૂર થશે ત્યારે તું શ્રોતવ્ય અને શ્રુત બંનેથી વિરકિત પામીશ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154