Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 136
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ વિવેક વિવેક - ચક્ષુધારા કર્તવ્ય અકર્તવ્યની ભૂમિકા આવે છે. એવો દિવસુરપતિઃ સદગો વિવેઃ . વિવેક જ એક માત્ર સહજ નિર્મળ ચક્ષુ છે. विवेको गुस्वत्सर्वम् कृत्याकृत्यं प्रकाशयेत् ॥ વિવેક ગુરુની સમાન સર્વ પ્રકારનાં કૃત્ય અકૃત્યને તાદેશ્ય કરી આપે છે. શાસ્ત્રજ્ઞાનનો લાભ વિવેકીને પ્રાપ્ત થાય છે. क्या अच्छा क्या है बुरा किस से जग कल्याण ? सच्ची समज विवेक यह સવ શાસ્ત્રી અન સત્યેશ્વરગીતા આપણું હિત અહિત શું છે ? કયા સિદ્ધાંતો દ્વારા જનકલ્યાણ છે ? તેની યથાર્થ સમજ તે વિવેક છે, તે સર્વ શાસ્ત્રોનો પ્રાણ છે. વિવેકગુણના વિકાસમાં અહંકાર અને મોહનું, પક્ષભર્યુ હૈયું બાધક છે. અહંકારવશ વ્યક્તિ અન્ય શાસ્ત્રોને તુચ્છ માને છે. મોહને વશ તે પોતાના જ્ઞાનને પૂર્ણ માની કૂપમંડૂક બને છે. નિષ્પક્ષતાથી તે ઘણો દૂર હોય છે, પ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રસૂરિની જેમ સાહસપૂર્વક કોણ કહી શકે તેમ છે કે : पक्षपातो न मे वीरे ! પિતાવિવું ! युक्तिमद्ववचनं यस्य तस्य कार्य परिग्रहः ॥ મારો મહાવીર પ્રત્યે કોઈ પક્ષપાત નથી કે (સાંખ્ય દર્શન પ્રણેતા) કપિલા આદિ પ્રત્યે દ્વેષ નથી. જેની વાત યુક્તાયુક્ત ન્યાય સંગત છે તે મને સ્વીકાર્ય છે જે મને સાચો મોક્ષમાર્ગ બતાવે છે તેનાં વચનો મને માન્ય છે. આદિ શંકરાચાર્ય સ્નાન કરીને પોતાના આશ્રમમાં પાછા ફરતા હતા ત્યાં માર્ગમાં કોઈ હરિજનનો સ્પર્શ થઈ ગયો. તેમણે તેના પર ક્રોધિત થઈ કહ્યું કે “તું શું આંધળો છે ? જોતો નથી કે હું નદી સ્નાન કરીને પવિત્ર થઈને આવું છું. તારા સ્પર્શથી તેં મને અપવિત્ર કર્યો, હવે મારે પુનઃ સ્નાન કરવું પડશે.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154