________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વિસ સોપાન પ્રવચનમાં તો રીંગણાનો ત્યાગ કરવાની પ્રેરણા આપો છો અને આપ સ્વયં જ રીંગણા ખરીદો છો.'
પંડિતજીએ કુશળતા પૂર્વક તકયુક્ત પ્રત્યુત્તર આપ્યો કે “ભાઈ ! જેના વિકારનું વર્ણન કરું છું તે તો પોથીમાંનાં રીંગણા છે. પરંતુ આ રીંગણા તો ખાવા માટે છે. બંને એક સમાન કેવી રીતે હોય?
શ્રોતાની કેવી દશા થઈ હશે તે વિચારી લેવું.
હાથની ચેષ્ટાઓ કરીને અન્યને જોરશોરથી લેકચરો આપવામાં આવે, પણ જો લેકચરાર સ્વયં તેનું પાલન ન કરે તો શું ધર્મકથા કેવળ વ્યાપારની વસ્તુ છે? જે ધર્મઉપદેશક ધર્મકથાને કેવળ ઉદરનિર્વાહનું સાધન માને છે તે સર્વથા અનુચિત છે. જે વ્યક્તિ સ્વયં આચરણથી દૂર રહે છે તેને અન્યને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. કબીર સાહેબે કહ્યું છે કે :
करनी करे सो पूत हमारा कथनी कथे सो नाती रहणी रहै सो गुरु हमारा
हम रहणी के साथी દ્રોણાચાર્ય ગુરુજીએ કૌરવો અને પાંડવોને પાઠ શિખવાડયો કે સત્યંવર | ઘ ચર.”
બીજે દિવસે દરેકે પોતાનો પાઠ ગુરુજી સમક્ષ સંભળાવ્યો. પરંતુ યુધિષ્ઠિર તો મૌન રહ્યા. ગુરુજીએ તેમને ઠપકો આપ્યો. બીજે દિવસે પણ એમ બન્યું. ત્રીજે દિવસે પણ યુધિષ્ઠિર જ્યારે પાઠ બોલ્યા નહિ ત્યારે ગુરુજીએ તેમના ગાલ પર તમાચો લગાવ્યો. ત્યારે યુધિષ્ઠિરે હસતે મુખે જણાવ્યું કે ગુરુજી આપની કૃપાથી મને હવે પાઠ યાદ થઈ ગયો છે. એટલું જ નહિ પણ તેમાં હું ઉત્તીર્ણ થયો છું.
ગુરુજીએ આશ્ચર્ય પૂછ્યું કે તારી વાત મારી સમજમાં આવી નથી, સ્પષ્ટતાથી કહે.
યુધિષ્ઠિર - ક્રોધ ન કરવો તે ધર્મ છે, એ સત્ય છે. પણ મને શંકા હતી કે ક્રોધનો પ્રસંગ બને ત્યારે શાંત રહી શકાય કે નહિ?
તેથી “સત્ય” પાઠની વાસ્તિવક્તાના આધાર પર તે સમયે મેં સત્ય કહ્યું હતું કે મને પાઠ યાદ નથી. પરંતુ બે ગાલ પર બે તમાચા પડ્યા છતાં મને ક્રોધ ન થયો તેથી મારી શંકા દૂર થઈ કે મને પાઠ બરાબર યાદ છે,
For Private And Personal Use Only