________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
જીવન વિકાસનાં વીસ સોપાન શાસનસત્તાનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. તેથી મેં આ સર્વ જેલવાસીઓને મુક્ત કર્યા છે. તેઓ મુક્ત થઈને તરત જ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન ! અમારા બાદશાહ પર કૃપા કરજે એમનું શાસન સુરક્ષિત રાખજે, વળી કહેવા લાગ્યા કે અમારા બાદશાહ ઘણા સજ્જન છે, હવે કહો કે મે સારું કર્યું છે કે ખોટું કર્યું છે.
આ સાંભળી ભલા કોણ ખુશ ન થાય? તેમાં રાજાઓને તો રીઝતાં કે ખીજતાં વાર નહિ. બાદશાહ હેમૂની વાત સાંભળી ખુશ થયા અને પ્રધાનમંત્રી હવે આગળની પદવી તો હતી નહિ તેથી તેના વેતનની વૃદ્ધિ કરી. સદ્દબુદ્ધિ દ્વારા ઈષ હાર પામે છે એ વાત આ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે.
૯. ઉદારતા વિશાલ હદથી મહાનુભાવો!
હૃદયની વિશાળતામાં ઉદારતાનો નિવાસ હોય છે અને સંકુચિતતામાં કંજૂસાઈ નિવાસ કરે છે.
अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु
वसुधैव कुटुम्बकम् ॥ આ મારું છે કે આ તારું છે તે સંકુચિત મનવાળો વિચારે છે. જેનું ચરિત્ર ઉદાર છે તેને માટે તો સારી પૃથ્વી એક કુટુંબ સમાન છે.
વૃક્ષ પ્રત્યે દૃષ્ટિ કરો તે કંઈ જ ભેદભાવ વગર પશુ-પક્ષીઓને આશ્રય આપે છે. મુસાફરોને પોતાની છાયામાં વિશ્રામ આપે છે. પત્થર ફેંકવાવાળાને ઉદારતાપૂર્વક ફળ આપે છે.
તિસ્વલ્લુવરનું કથન છે કે - “ઉદાર વ્યક્તિનો વૈભવ ગામની મધ્યમાં ફળોથી લચી પડતા વૃક્ષ જેવો છે.” જે પ્રકારે તે ફળયુક્ત વૃક્ષનો ઉપયોગ ગામજનતા સહેલાઈથી કરી શકે છે તે પ્રકારે ઉદાર વ્યક્તિની વૈભવ સંપત્તિનો ઉપયોગ લોકો સરળતાથી કરી શકે છે.
ઉદારતા અધિક વસ્તુ દેવા માત્રમાં નથી, પણ યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય સ્થાને જ્યાં જેટલું આપવા જેવું, ખર્ચવા જેવું છે તે પ્રમાણે કરવામાં છે. ઉદારતા એટલે ઉડાઉ નહિ, તે વ્યર્થ ખર્ચ કરતો નથી અને
જ્યાં દેવાની જરૂર છે ત્યાંથી પાછીપાની કરતો નથી કે વાયદા-વિલંબ કરતો નથી.
For Private And Personal Use Only