________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુરુમહિમા
વ્યક્તિ - છ રૂપિયાના એક કિલોગ્રામ મળે છે.
ગુરુ – દિલ્હીમાં બાટાના જુતાની શું કિંમત છે ?
વ્યક્તિ
www.kobatirth.org
-
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં નોર્થારની જોડ એકસો પાંસઠ રૂપિયામાં મળી જશે. આપને જૂતાની જરૂર છે ?
94
કર સાથે એમ્બેસડરની જોડના એકસો છોતેર થાય છે.
ગુરુ ભાઈ ! મારે ચોખા કે જૂતા એકેની જરૂર નથી. હું તે કેવળ તમારા મનનું અવલોકન કરતો હતો કે તમારા મનમાં શું શું ભર્યું છે ? મેં જાણ્યું કે તમારા મનમાં મુંબઈ, દીલ્હી, ચોખા અને જૂતા ભર્યાં છે. તેમ એક ખૂણામાં કોઈ પ્રશ્ન હશે. સાચું સમાધાન ક્યારે મળે છે કે જ્યારે તમારા મનમાં કેવળ સાચા પ્રશ્નની જિજ્ઞાસા હોય પૂરો સંસાર મનમાં ભરીને ભગવાનને વિશે કોઈ પ્રશ્ન પૂછશો તો તેમાં શું લાભ થશે ?
ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા સહજ હોય છે તે કોઈના કહેવાથી થતી નથી. એક મોટા મુલ્લાને કોઈ મિત્રે પૂછ્યું કે ‘તમે મને ખુદા પ્રત્યે શ્રદ્ધા વધે તેવું કરી શકશો ?,
મુલ્લા ‘કેમ ન કરી શકું ? હું મારા મકાનની છત પરથી ખુદાનું નામ લઈને પડતું મૂકું છું ત્યારે મને જરા પણ ચોટ લાગતી નથી. તે જોઈને તમને ખુદાની શક્તિનો વિશ્વાસ આવશે.
-
મિત્ર - ‘યોગાનુયોગ એવું બને છે કે પડવા છતાં લોકો બચી જાય છે.' તેમાં તમે બિચારા ખુદાને વચમાં શા માટે તકલીફ આપો છો ?’
મુલ્લા - જો એકવાર બચું તો યોગાનુયોગ, પણ બે વાર બધું તો વાત સાચી ખરી ને !
મિત્ર – તે પણ યોગનુયોગ તમે તો તમારી છત પરથી બચી જાવ પણ કોઈવાર હવાઈ જહાજમાંથી પડવા છતાં કોઈનો વાળ વાંકો થતો નથી. એ તો માત્ર બાહ્ય સંયોગ છે.
અરે ત્રીજીવાર આ મસ્જિદની ઉપર ચઢીને ખુદાનું નામ લઈને કૂદી પડું તો તને શ્રદ્ધા થશે ને ?
મુલ્લા
મિત્ર - મુલ્લા, જો તમે ત્રણવાર કૂદવા છતાં બચી જાવ તો તે તમારા અભ્યાસની કુશળતા ગણાશે. તમારી એ કળાથી પ્રસન્ન થઈને કોઈ સર્કસવાળો તમને સારી નોકરી પર રાખી લેશો.
For Private And Personal Use Only
મુલ્લા - તારો પ્રશ્ન જહાન્નમમાં જાય મેં તારામાં શ્રદ્ધા ઉત્પન્ન કરવા સંપૂર્ણ કોશિષ કરી પણ તું એવો અશ્રદ્ધાળુ છું કે મને મસ્જિદથી ઉપાડીને સર્કસમાં પહોંચાડી દીધો.