Book Title: Jivan Vikas Na Vis Sopan
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવન વિકાસનાં વીસ સોપાન પ્રાતઃકાળમાં મળત્યાગ કરો છો, તેમ ન કરો તો ભોજનનું સુખ મળે નહિ. અને ડૉક્ટરની પાસે જઈ ફરિયાદ કરી ઔષધ લેવું પડે છે. તે પ્રકારે ક્ષણિક સુખને માટે પણ ત્યાગ અનિવાર્ય બને છે. તો પછી શાશ્વત સુખને માટે ત્યાગ અનિવાર્ય હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir આજના બુદ્ધિપ્રધાનયુગમાં લોકો વિશ્વશાંતિની ગંભીર ચર્ચાઓ કરે છે. પણ તે વિચારકોના જ અંતરમાં અશાંતિ ભરી છે તે દૂર કરવાનો વિચાર તેઓ કરતા નથી. જે તરવાની કળા જાણતા નથી એવા ચાર મનુષ્યો સમુદ્રમાં ડૂબતા હોય, તે એક બજાને પકડી લે તો તેમની દશા શું થાય ? તેવી દશા આ વિચારકોની છે. ભગવાનનું એક વિશેષણ છે વીતરાગ - જ્યાં રાગ છે ત્યાં દુઃખ છે અને જ્યાં ત્યાગ છે ત્યાં સુખ છે. ભગવાન વીતરાગ છે તેથી પરમ સુખી છે. - नास्ति राग समं दुःखम् नास्ति त्याग सम् सुखम् ॥ ફૂટબોલના મેદાનમાં કોઈ એક ખેલાડી બોલ હાથમાં પકડીને બેસી જાય તો ૨મતનો આનંદ ન મળે. ખેલાડી ફૂટબોલને પગ દ્વારા એક ઠેસ મારે છે ત્યારે બીજા ખેલાડીઓ તેની પાછળ દોડાદોડ કરે છે. તે દરેકનો ઉદ્દેશ ફૂટબોલને ઠેસ મારવાનો છે. તમે સંપતિની પાછળ દોડાદોડ કરો છો. પણ ઉદ્દેશ શું છે ? જો તેના ત્યાગનો હેતુ નહિ હોય અને સંગ્રહનો જ હેતુ હશે તો તે દોડાદોડ વ્યર્થ છે. આકાશ તરફ મીટ માંડો. વાદળ પાણીનો સંગ્રહ શા માટે કરે છે ? તેનો ઉદ્દેશ વરસવાનો છે. જે ધનનો સંગ્રહ ત્યાગ માટે છે તે ધન પરિગ્રહના ભારરૂપે બનતું નથી. કોઈ માણસ સાઇકલ પર વિશ્વના પર્યટન માટે નીકળે તો ઘણો સમય લાગે પણ જો તે હવાઈ જહાજમાં નીકળે તો થોડા સમયમાં પર્યટન પૂર્ણ કરે. સાધુ અને શ્રાવકના ત્યાગમાં આવું અંતર છે. સાધુ પરિગ્રહનો પ્રાયઃ પૂર્ણ ત્યાગ કરે છે. શ્રાવક અંશે ત્યાગ કરી શકે છે. ઘણાં સદ્ગુણો હોવા છતાં પણ જીવનમાં ત્યાગની વિશેષતા છે. ‘ગૃહસ્થજીવનમાં જે કાર્ય પોતાને માટે અનિવાર્ય છે તેનો ત્યાગ કરવો ઉચિત નથી, મોહવશ કરેલો ત્યાગ ‘તમસ' કહેવાય છે, કોઈ કાર્યને દુઃખમય માનીને, કાયકષ્ટના ભયથી છોડી દેવામાં આવે છે, અર્થાત્ ત્યાગ કરવામાં આવે છે તે ‘રાજસ' છે ત્યાગ કરવા છતાં ત્યાગીને તેનું ફળ મળતું નથી. કર્તવ્યપરાયણતાથી નિયત કાર્ય કરવામં જે આસક્તિ અને ફળની આશાનો ત્યાગ કરે છે તેનો ત્યાગ ‘સાત્ત્વિક’ છે.’’ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154