________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકસનાં વીસ સોપાન ગૃહસ્થોનો ધર્મ છે કે તેણે માતા, પિતા, પત્ની ને નાના પુત્રાદિ, પરિવારનું ભરણપોષણ કરવું જોઈએ. પોતાની આવકના પ્રમાણમાં ખર્ચ કરવું જોઈએ.
કહેવત છે કે જેટલી આપણી ચાદર તેટલી સોડ તાણવી. પોતાની કમાણી પ્રમાણે ખર્ચ કરવું, ઉધાર લેવું નહિ. ઉધારી માલ હલકો હોય, ઓછા તોલસળો આપે તો પણ લેવો પડે. રોકડી ખરીદીમાં માલ સારો અને પૂરતો મળે, ઉધાર લેવામાં તમારી ગરજ હોય છે. રોકડથી લેવામાં દુકાનદારને ગરજ હોય છે.
“ધનાનુ ગોગનુચિઃ | ધન અને શ્રદ્ધાને અનુરૂપ ત્યાગ - ધન કરવું જોઈએ. साईं इतना दीजिये जाये कुटुम्ब समाय ।
मैं भी लूखा न रहूं, साधु न भूखा जाय. ॥ कबीरदासजी. હે ભાઈ તું સમતુલા રાખીને ત્યાગ કરજે કે જેથી તારું કુટુંબ પણ સુખેથી જીવે. હું ભૂખ્યો ન રહ્યું અને સાધુ પણ ભૂખ્યો ન રહે.
અન્યને સુખી કરવા પોતાની ઝૂંપડી સળગાવી મારવાની જરૂર નથી, શ્રદ્ધામાં ભાવુકતા હોય છે, તેના આવેશમાં વ્યક્તિને પોતાની મર્યાધ રહેતી નથી. માટે શ્રદ્ધાની સાથે સંયમની જરૂર છે.
પ્રતિપાલાનુષ વવનકુલ સ્લેવ છે કુશળ વક્તા પોતાની સર્વ શક્તિ દ્વારા વિષયનું પ્રતિપાદન કરે છે. પોતાના વિષયને અનુરૂપ શબ્દ ઉચ્ચારે છે. વિષયાંતર થતાં નથી એવા વક્તા સભામાં પોતાનું સ્થાન દીપાવે છે અને વક્તાપર કે શ્રોતાપર ? પ્રભુત્વ જમાવે છે. તે સર્વત્ર સન્માન પામે છે. તેવું વક્તાનું કર્તવ્ય છે.
જે વાણી પોતાને, અન્યને, વિદ્વાનોને, ઈર્ષાળુને તથા અશિક્ષિતોને પણ આકર્ષણ કરવામાં સમર્થ હોય તેવા વક્તાએ સભામાં પ્રવચન કરવું યોગ્ય છે. વાણી કોમળ અને મધુર હોવી જોઈએ.
__ अग्निदाहादपि विशिष्टं वाकमारुप्यम्
કઠોરવાણી આગથી પણ અધિક બળે છે. આગથી દાઝેલું શરીર મલમપટ્ટીથી ઝાય છે પણ કઠોરવાણીથી દાઝેલા હૃદય માટે કોઈ મલમપટ્ટી નથી. તેનો ઉપાય દુર્લભ છે.
તમે ભલે સ્લવાર કાઢો (કારણ કે તેના પ્રકારનો ઉપાય સંભવ છે)
For Private And Personal Use Only