________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉદારતા
૬૧
એ દિવસોમાં મહાકવિ પાસે વિશેષ સંપત્તિ ન હતી. છતાં કોઈ યાચકને નિરાશ કરવો તે તેમની પ્રકૃતિ વિરુદ્ધ હતું. તેઓ ઘરમાં ગયા તેમની પત્ની આરામ કરતી હતી. ભરનિદ્રામાં સૂતેલી પત્નીના હાથેથી સોનાની બંગડી ઉતારીને તેમણે બહાર ઊભેલા યાચકની મનોકામના પૂરી ફરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો કે જ્યારે તેઓ બંગડી ઉતારતા હતા ત્યારે લક્ષ્મીદેવી નિદ્રાથી મુક્ત થઈ ગયાં હતાં, છતાં પોતે આંખ બંધ કરીને પડી રહ્યાં. તેઓ જોતાં હતાં કે પતિ બંગડી કાઢીને શું કરે છે. જ્યારે તેને કાને શબ્દો પડ્યા કે ‘લો આ બંગડી લઈ જઈ આપની કન્યાનો વિવાહ ખર્ચ કરજો, તે સમયે લક્ષ્મીદેવી સહસા બહાર આવ્યાં અને પેલા યાચકને અવાજ કરી પાછો બોલાવ્યો, અને બીજા હાથની બંગડી કાઢીને આપતાં કહ્યું ‘ભલા એક બંગડીથી કંઈ કન્યાનો વિવાહ થતો હશે ? આ બીજી બંગડી પણ લેતો જા’ ધન્ય ઉદારતા.
-
યાચક આ ઉદાર દંપતિને પ્રણામ કરી વિદાય થયો છતાં તે નિર્ણય પર આવી શક્યો નહિ કે આ બંનેમાં અધિક ઉદાર કોણ ?
ગુજરાતમાં એકવાર ઘોર દુષ્કાળ પડ્યો. તેને દુર્ભિક્ષ પણ કહે છે. ઘણી કઠિનતાથી ભિક્ષા મળે તે કાળને દુર્ભિક્ષ કહે છે.આવા દુષ્કાળથી વ્યથિત થઈ માથે પોતાની પત્નીને કહ્યું કે ઃ
:
भिक्षा दुर्भिक्षे पतति दुखस्थ कथमृणम् लभन्ते कर्माणि द्विजपरिवृढान्कारयतिक ? अदत्त्वेव ग्रासं ग्रहपति रसावस्तमयते,
कवयाम ? किं कुर्मो ? गृहिणि! गहनो जीवन विधिः
આ દુષ્કાળમાં ભિક્ષા મળતી નથી. આપણા જેવા નિર્ધનોને ઉધાર પણ કોણ આપે ? અમારા જેવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને નોકરી પર પણ કોણ રાખે ? આ સૂર્ય પણ અમને અન્ન મળે તે પહેલાં અસ્ત પામી જાય છે તે પણ કંઈ સહાય કરતો નથી. આપણે બંને દિવસભર ભૂખ્યાં રહીએ છીએ.ક્યાં જઈએ ! શું કરીએ ? હે લક્ષ્મી ! હવે જીવન ટક્યું દુર્લભ છે.
આ સાંભળી પત્નીએ સલાહ આપી કે થોડા દિવસ માટે આ નગરી છોડીને ધારાનગરીમાં જતા રહીએ ત્યાં રાજા ભોજ ઘણા ઉદાર છે, તે કવિઓનું ઘણું સન્માન કરે છે. ત્યાં આ કપરા દિવસો સરળતાથી પસાર
થશે.
પત્નીની સલાહ માની બંને ધારાનગરી પહોંચી ગયાં. ત્યાં જઈને
For Private And Personal Use Only