________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
જીવન વિકાસનાં વીસ સોપાન
નગર બહાર એક બગીચામાં તેઓ રહ્યાં હતાં. બીજે દિવસે કવિએ પોતાની પત્નીને એક શ્લોક લખી આપી રાજા ભોજ પાસે મોકલી.
મહારાજે શ્લોક વાંચ્યો :
ચંદ્રથી વિકસિત થતો કમળોનો સમૂહ શોભાહીન થયો છે. અને સૂર્યથી વિકસિત થતો કમળોનો સમૂહ ખીલી ઊઠ્યો છે. ઘુવડની પ્રસન્નતા નષ્ટ થઈ છે કારણ કે તે રાત્રે જ જોઈ શકે છે, અને ચક્રવાક પસન્ન છે. કારણ કે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે અને ચંદ્ર અસ્ત પામ્યો છે. દુર્ભાગ્યશાલિઓની સ્થિતિ અતિ વિચિત્ર થઈ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાતઃકાળનું વર્ણન કરવાની સાથે કવિએ એમાં ગર્ભિતપણે એમ જણાવ્યું હતું કે તમે સૌભાગ્યશાળી છો અને અમે દુર્ભાગ્યશાળી છીએ. આપ સુખેથી ભોજન પામો છો અમને ભોજન મળતું નથી. આશ્ચર્યની વાત સાથે ખેદ પણ હતો. બંને અર્થ દર્શાવવા માટે આખરની પંક્તિમાં ‘હી' અવ્યય નો એક અનોખો પ્રયોગ કર્યો હતો. મહારાજા ભોજ પણ કવિ હતા તેઓ આ શ્લોકના શ્રવણથી પ્રસન્ન થયા, તત્કાળ તેમણે એક લાખ સુવર્ણમુદ્રાઓ લક્ષ્મીદેવીને પુરસ્કારસ્વરૂપ આપીને કહ્યું કે હું કાલે સ્વયં મહાકવિના દર્શન માટે આવીશ.
લક્ષ્મીદેવી રાજ્યના એક સેવક પાસે સોનામહોરનો થેલો ઉપડાવીને જતાં હતાં, અને માર્ગમાં જે કોઈ યાચક મળે તેને સોનામહોર આપતાં હતાં. તેનાં પરિણામે જ્યારે તેઓ બગીચામાં પહોંચ્યાં ત્યારે થેલામાં એક પણ સોનામહોર બચી ન હતી. ખાલી હાથ જોઈને કવિએ પૂછ્યું ‘શું રાજા ભોજને મારું કાવ્ય પસંદ આવ્યું નહિ ?
લક્ષ્મીદેવી - અરે ! આપનું કાવ્ય કોને પસંદ ન આવે ? રાજા ભોજ તે કાવ્ય વાંચીને પ્રસન્ન થયા અને કાલે આપના દર્શન માટે અહીં સ્વયં પધારશે તેવું વચન પણ આપ્યું છે.
કવિ - જો રાજા પ્રસન્ન થયા તો પછી કંઈ પુરસ્કાર આપ્યો નહિ ? મેં તો સાંભળ્યું હતું જો તેમને કોઈ શ્લોક પસંદ આવે તો તે પુરસ્કારમાં એક લાખ સોનામહોર આપે છે તમને કંઈ જ આપ્યું નથી ?
-
પત્ની - કેમ ન આપે ? તેમની ખ્યાતિ અનુસાર રાજાએ મને એક લાખ સોનામહોરો પુરસ્કારમાં આપી હતી. પરંતુ માર્ગમાં તમારું નામ લઈને અનેક યાચક મળતા હતા. હું તેમને મુદ્રા આપતી ગઈ તેથી જ્યારે અહીં પહોંચી ત્યારે એક પણ મુદ્રા બચી નહિ.
કવિ
ધન્ય ! તું મારી સાચી સહધર્મચારિણી છું. પત્ની પતિના
For Private And Personal Use Only