________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
જીવન વિકાસનાં વીસ સોપાન - ચીનના તાઓએ કહ્યું છે કે “લોકોમાં મોટાઈનું પ્રદર્શન છોડી દો ઈર્ષા દૂર ભાગી જશે.”
સામાન્યરીતે મનુષ્યને અન્યની સમૃદ્ધિનો દેખાવ, કિંમતી આભૂષણો, આકર્ષક પોશાક જોઈને ઈર્ષા થઈ આવે છે. તમે ગુણવાન સજ્જન છો તો તેવી વસ્તુનો ત્યાગ કરો, અને “સાદું જીવન તથા ઉચ્ચ વિચાર' અપનાવો. જેથી સામાન્ય માનવ ઈર્ષાની અગ્નિમાં રાખ થઈ જાય નહિ. આ તો થઈ અન્યની વાત પણ તમે સ્વયં ઈર્ષાની આગમાં બળી રહ્યા છો ? કોણ બચાવશે ? તમે જ તમને બચાવી શકશો. તમે તમારા હૃદયમાં તેને સ્થાન આપશો નહિ, બચી જશો.
ઈર્ષા વિવેકની દુશ્મન છે.
अविवेकः परमापदां पदम् અવિવેકને કારણે ઘણી આપદા આવે છે. અવિવેકથી બચવા માટે ઈર્ષાથી બચવું જરૂરી છે. ભગવાન મહાવીરે પણ ઉપદેશ્ય છે કે :
સત્ય વિનીય મો સૂત્ર કૃતાંગ સૂત્ર
સર્વત્ર ઈષ ભાવથી દૂર રહો. ઈર્ષાની સામેનો ગુણ પ્રમોદભાવના છે. અન્યની સુખ સમૃદ્ધિ ગુણ આદિ જોઈ પ્રસન્ન થવું તે પ્રમોદ છે.
જેમ સુંદર પુષ્પોને જોઈને સૌ પ્રસન્ન થાય છે તેમ અન્યને પ્રસન્ન જોઈને તું સુખી થા.
અન્યની પ્રસન્નતાથી જે આપણે પ્રસન્ન થઈએ, અને આપણી પ્રસન્નતા જોઈ બીજા પ્રસન્ન થાય તો કોઈને સ્વર્ગ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ નહિ થાય. આ પૃથ્વી ઉપર જ સ્વર્ગનો અનુભવ થશે. સ્વર્ગ એટલે સુખથી ભરેલું સ્થાન, દુનિયાને સ્વર્ગ બનાવવા માટે અર્થાત્ સર્વત્ર સુખનો અનુભવ કરવામાં પ્રમોદ ભાવનાને અધિકતર અપનાવવાની જરૂર છે. તે સમય ધન્ય હશે કે જે દિવ માનવમનમાં પ્રમોદભાવના પ્રતિષ્ઠિત થશે. સત્વેષ મૈત્રી ગુણિષ પ્રમોદ”
સ્પર્ધાળુને મહત્ત્વાકાંક્ષા હોય છે તેથી તે પોતાનાથી અધિક ગુણવાન, સમૃદ્ધ કે ઉત્તમ કળાકારને જોઈને સ્વંય તેનાથી અધિક ગુણવાન, સમૃદ્ધ કે અધિક ઉચ્ચ કળાકાર થવાની ચેષ્ટા કરે છે. ઈર્ષાળુ તેનાથી વિપરીત બુદ્ધિવાળો હોય છે. તેથી પોતાની ઈષ શાંત કરવા માટે તે અન્યના પગ
For Private And Personal Use Only