Book Title: Jivan Safalya Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 315
________________ ૨૯૬ ) જીવન–સાફલ્ય દશ ન−૧ આ રાવણ તે ભૂલ્યા, પણ તુ પણ એમાં ભળી ? ખરેખર, વિધિનું કાર સ્તાન એવું છે કે, ‘એ સરખેસરખાના ચેાગ એ કરી દે છે. સાંભળતાં મંદોદરી મૂઝાય છે. એની છાતી કંપે છે. અને ત્યાંથી હવે ઊઠવું પણ ભારે પડી ગયું. સીતાજીની આ ઉગ્રતા શીલની રક્ષા માટે હતી. ધી'માં અવસરે આવું કૌવત જોઈ એ જ. વ્યવહારમાં રહેવુ એ જીવવા કે મરવા ? આત્માને અંગે વ્યવહાર કે વ્યવહારને અ ંગે આત્મા ? આ દુનિયાના વ્યવહારમાં આત્મા ઝૂકયા તા ખરા પણ પછી શું ? પરલેાક માને છે કે નહિ ? પરલેાકને માનનારા આત્મા આ લેાકના વ્યવહારમાં આટલા બધા લીન થાય ? બીમાર આદમી બીમારીમાં પણ ખાટલામાં સૂવુ હૈયાથી પસદ કરે ? વ્યવહાર એ જો ધર્મઆધક હોય, ધ ના ઘાત કરનારા હોય તેા એના જેવી અધમ ચીજ દુનિયામાં એક પણ નથી. સીતાજીએ એવા ખાટા વ્યવહારને તરત ત્યજી દીધા. રાવણ જેવા રાજવી અને મંદોદરી જેવી રાણી એની સાથે વ્યવહાર કેવા હોય ? પણ એ જ્યારે અધમ માળે ગયા, તો હવે વ્યવહાર રાખવાના હોય નહિ. હવે વ્યવહાર રાખવા જાય તે કદાચ પેાતાના આત્માનું પતન થવાને પણ પ્રસંગ આવી જાય. આવા સમયે શરમ રાખવાની ન હોય. ત્યાં તે ધર્મ એ જ જીવન. જેટલા જેટલા મુક્તિએ ગયા છે, જઈ રહ્યા છે અને જયાના પ્રયત્નમાં છે, તે બધા આવા પ્રસંગે અયેાગ્ય વ્યવહારને લાત મારીને જ ગયા છે. દુનિયાના અાગ્ય વ્યવહારને શ્રી વીતરાગ પરમાત્માના શાસન સાથે કાંઇ લાગતું. વળગતું નથી. સૂરિપુરદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. કે જ્યાં ધર્માંશુદ્ધિ છે. ત્યાં જ વ્યવહારશુદ્ધિ છે. ધર્મ શુદ્ધિ વિના વ્યવહારશુદ્ધિ આવે કઈ રીતે ? જેના હૃદયમાં ધર્મો બેઠો હોય તેના ઘરના આચાર, વિચાર, વાતચીત, બધું જુદું જ હોવુ જોઇ એ. ધ એ પાપવ્યવહાર આ કરવા માટે છે, નહિ કે વધારવા ! આ વાત જો તમારા હૃદયમાં ખરાખર ઊતરે તેા તમારાથી શાસન ઝળકે. દુનિયાની સાધના જિંદૃગી માટે છે કે દુનિયાની સાધના માટે જિંદગી છે ? તમે દુનિયા માટે કે તમારા માટે દુનિયા ? માની લે કે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348