Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશનું નિવેદન પંચપરમેષ્ઠી નમસ્કાર : બીજી આવૃત્તિ ત્રણ હજાર નકો બહાર પાડયા પછી આજે લગભગ ત્રણ ૫ વર્ષે ૭૮૫|૮૩ અઠોત્તર અને પાંચ લગભગ ૮૩ ફર્મના આઠ પેજ ૬૬૪ આશરે પૃષ્ઠનો દળદાર અને અનેક વિષયોથી ભરચક ગ્રંથ વાચક વર્ગના કરકમલમાં મૂકવા ભાગ્યશાળી થયા છીએ. અમારાં બધાં પ્રકાશનો વાચકોને ભેટ જ અપાયાં છે—તે રિવાજ મુજબ આ પુસ્તક પણ યોગ્ય વાચકોને ભેટ જ આપવાનું છે. અમારા પુસ્તકોના વાચકો બે પ્રકારના હોય છે. તેમાં કેટલાક આ પુસ્તકોની પરંપરાએ કે સ્વયં, રસધાર સાંભળીને કે, અનુભવીને, પુસ્તકો લેનારા હોય છે. અને કેટલાક મહાશ્યાને સારા સમજીને આપવામાં આવે છે. આમાં કેટલાક ભાગ્યશાળી જીવો. અમારા વિશ્વાસનો સદપયોગ કરતા નથી. તેથી તેવા મહાનુભાવ મહાશયોને અમે કેટલીક પ્રાર્થનાઓ લખીએ છીએ તે જરૂર ધ્યાનમાં લેવા યોગ્ય છે માટે જરૂર વાંચવી અને અમલમાં મૂકવા ધ્યાનમાં લેવી. આ પુસ્તક પાછળ, સંપાદકે, ત્રણ વર્ષ સુધી સમયનો ભોગ આપ્યો છે. તથા આ પુસ્તકના ખર્ચ માટે, લગભગ સાડાસાત હજાર રૂપિયા જ્ઞાન ખાતાના મળ્યા છે. વળી સાડાદશ હજાર રૂપિયા છૂટા છૂટા ગૃહસ્થા દ્વારા સહાય મળી છે. આ પુસ્તકના સંપાદન માટે બસોથી વધારે કાગળના રીમ વપરાયાં છે. પાંસઠ સો લગભગ છપાઈ ખર્ચ થવા સંભવ છે. એકંદર પુસ્તકના કાગળા, છપાઈ અને બાઈન્ડીંગના ખર્ચ વિચારતાં, પુસ્તક આઠ રૂપિયાનું પડતર થવા સંભવ છે. આવું કીમતી પુસ્તક આપને ભેટ આપીએ તો, આ પુસ્તક દશ વીસ મહાશય વાંચે.' પુસ્તકની આશાતના ન થાય, પુસ્તક કેદમાં પૂરાયેલું પડયું ન રહે, આટલી અમારી માગણી શું બરાબર નથી ? માટે પુસ્તકના ગ્રાહક સુજ્ઞ મહાશયો નીચેની વાતો વાંચી અમલમાં મૂકવા ભાગ્યશાળી બનશે. આ પુસ્તકના એક ભાગ ઉપર છપાએલ શુદ્ધિપત્રક, પહેલું વાંચી, પુસ્તકની અશુદ્ધિ મીટાવા. પછી પુસ્તક વાંચવાથી આપને અનુકુળતા વધશે. પછી લાગોલાગ પ્રસ્તાવના અને વિષયદર્શન જરૂર વાંચો, જેથી આપને પુસ્તક સંપૂર્ણ વાંચવા પ્રેરણા મળશે. આ પુસ્તક આપ પોતે વાંચીને તમારા ઘરનાં, વિંચી શકે તેવાં, દરેકને પુસ્તક બતાવો. પુસ્તક આપને પસંદ પડે તે, તમારા વાંચ્યા પછી, બીજાઓને વાંચવા આગ્રહ કરશેશે. આ પુસ્તકના વાંચનથી તમારા કુટુંબમાં સંપ આવશે, માણસાઈ આવશે, વિવેક-વિનય, નમ્રતા આવશે, જેથી તમારો ચાલુ ભવ, હવે પછીના બધા જ ભવામાં સુખ જ મળે તેવા બનશે. સ્વ-પરનું કલ્યાણ કરનારો બનશે. તથા પુસ્તકને કોરું સારું ચીકણ’ પૂરું ચઢાવશો. જ્ઞાનની આશાનના થાય નહીં એટલું લક્ષ જરૂર આપો. હવે અમારા આ પ્રકાશને માટે ઉદાર દિલથી જે જે મહાભાગ્યશાળી માનુભાવોએ દ્રવ્ય સહાય આપી છે તે તે મહાશયાના ઉત્તમ નામેા નીચે મુજબ છે : ૨૭૮૨ શ્રી સાયન મુંબઈ જૈન જ્ઞાન ખાતું પહેલી વારના કાગળો ખરીદ કરવા માટે. ૧૫૦ સોંઘવી દેવકરણ મુળજી જૈન પેઢી જ્ઞાન ખાનું, મલાડ મુંબઈ-૬૪. ૐ, આંનંદરડ ૪૦ શ્રી દેવકરણ મેનશન પ્લાન ખાતાની પષણની ઉપજ, મુંબઈ. ૧૦૦૦ સેન્ડહર્સ્ટ રોડ પ્રાર્થનાસમાજ ચંદ્રપ્રભ સ્વામી જૈન ઉપાશ્રય જ્ઞાન ખાતું, મુંબઇ.. ૫૧ ચોપાટી જૈન ઉપાશ્રય જ્ઞાન ખાનું મુંબઈ. ૫૦ જુનાડીસા જૈન ઉપાશ્રય જ્ઞાન ખાનું. બનાસકાંઠા 1

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 670