Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 371
________________ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ ૩૪૩ સ્થળની અપેક્ષાએ કાળમાં દિવસ રાત્રિ વિગેરે ઉપચારો કરાય છે. - બીજા દ્રવ્યો કરતાં કાળ વિલક્ષણ છે : જેમ એક ઘરમાં ૫, કે ૧૦ વ્યક્તિ રહેતા હોય તો દરેક વ્યક્તિ મારું ઘર કહેશે. ઘર તો એક જ છે. તે દશેયનું કઈ રીતે હોય? એકનું જ હોય. તો એકનું કોનું હોય ? રહેનારની અપેક્ષાએ દશેયનું ગણાય. અને ત્યાં પક્ષીઓ, પશુઓ, કીડાઓ હોય તે પણ ઉપયોગ કરે છે, રહે છે માટે એમનું પણ કહેવાય. માલિકની અપેક્ષાએ એકનું હોય. પરંતુ તે અંગે વિચારતાં મૂળ બનાવનાર, અને તે પછી ભૂતકાળમાં બીજા અનેક માલિકી કરી ગયા. તેથી વર્તમાનની અપેક્ષાએ એક માલિક ગણાય. જે મૂળ માલિકે બનાવ્યું તેણે તો ધન આપ્યું, પણ ઘરને બનાવ્યું તો કારીગરોએ, માટે તેનું કહેવાય. વળી બીજી રીતે જોઈએ તો ઘર ઈટમાટીનું છે. તો ખરેખર વાસ્તવમાં ઘર કોનું ? તે અનેક દૃષ્ટિકોણથી વિચારાય છે. બધા દૃષ્ટિકોણ સાચા છે. પણ પોતાના સ્થાને. તેમ છતાં સમગ્રતયા બધા ખોટા છે. આ જ સ્યાદ્વાદ છે, તે બધા દૃષ્ટિકોણનો સમન્વય છે. જયારે જે દૃષ્ટિકોણ વ્યવહારમાં ઉપયોગી હોય તે જ દૃષ્ટિકોણથી પ્રતિપાદન કરાય પણ બીજા દષ્ટિકોણનો સાવ અપલાપ ન કરાય, ગૌણપણે તે પણ માન્ય કરાય. આ રીતે જ ચોક્કસ અને નિશ્ચિત પ્રકારનું જ્ઞાન થાય, અને સુવ્યવસ્થિત રીતે વ્યવહાર ચાલે. નહિ તો વિરોધાભાસ આવીને ઊભો રહે. પ્રસ્તુત વિષયમાં કાળ કે સમય નામનું દ્રવ્ય શું છે? તેનો પણ વિચાર આ જ રીતે સાચું જ્ઞાન કરાવી શકે. કાળદ્રવ્ય બીજદ્રવ્યોથી કયાં જુદુ પડે છે, અને ક્યાં બીજા દ્રવ્યો સાથે સામ્ય ધરાવે છે, તેની ભેદરેખા સૂક્ષ્મ છે, માટે કાળને સમજવું અઘરું પડે છે. તેને સમજીએ દા.ત. ઉપર બતાવેલા “ઘર કોનું? તે અંગે જુદા-જુદા દેષ્ટિકોણની વિચારણામાં બીજા બધા દૃષ્ટિકોણ ઉપચરિત જણાય. જયારે ઘર એ ઈંટ-માટીનું છે, તે દૃષ્ટિકોણ ઉપચાર વિનાનો છે. (જો કે અહીં એટલું સમજી રાખવું કે, ઉપચાર પણ

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410