Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 369
________________ ૩૪૧ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ છે > કાળ, એ સમયનો પ્રવાહ છે. તે નિરંતર ચાલે છે. તે સમય બગડતો કે સુધરતો નથી. મારો, તમારો કે સારો, ખરાબ કાળ, વિગેરે ઔપચારિક છે. -> બીજા દ્રવ્યો કરતાં, કાળ બહુ વિલક્ષણ છે. - દરેક કાર્યની સિદ્ધિમાં કાળ, એ કારણ ઘટક છે. (નિત્ય પરૂિઢા) - કાળ, એ સમયનો પ્રવાહ છે. તે નિરંતર ચાલે છે. તે બગડતો કે સુધરતો નથી... કાળ એ સમયનો પ્રવાહ છે. કાળ નિરંતર ચાલ્યા કરે છે. કાળ ક્યારેય કોઈનાથી રોકાતો નથી. કાળ ઝડપથી પણ નથી ચાલતો અને ધીરે-ધીરે પણ નથી ચાલતો. તે એકસરખી ગતિથી પસાર થાય છે. આપણી અતિઉત્સુકતા કાળને ધીરો ચાલે છે.” બહુ સમય લાગ્યો, વિગેરે માનવા પ્રેરે છે, અને આપણા મનની શાંતિ “કાળ ઝડપથી પસાર થઈ ગયો.” બહુવાર ન લાગી તેમ માનવા પ્રેરે છે. સુખના દિવસો જલદી પસાર થઈ જાય છે અને દુઃખના દિવસો મહિના કે વર્ષો જેવા લાગે છે. આ બધુ માનસિક પરિસ્થિતિમાંથી થયેલું છે. એટલે એ બધું ઔપચારિકતાથી વ્યવહાર કરાય છે, વાસ્તવમાં જોવા જઈએ તો, સમય નથી જતો, આપણે ચાલ્યા જઈએ છીએ, આપણું જીવન ચાલી જાય છે. સમય તો છે, હતો અને રહેવાનો. આપણે જે સમયે જે કરવાનું હતું, તે સમયે તે ન કર્યું એટલે સમય ચાલ્યો ગયો, એમ પ્રયોગ કરીએ છીએ. Time and tide wait for none (સમય અને દરિયાના મોજા કોઈની રાહ જોતા નથી) Time is money (સમય એ જ પૈસા છે)

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410