Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 382
________________ ૩૫૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન -- ગુણને ઓળખાવવા બીજા ગુણની જરૂર પડતી નથી : ગુણ, દ્રવ્યને પ્રકાશિત કરે (ઓળખાવે) છે. આ રીતે તે દ્રવ્યને ગુણ કરે છે. પરંતુ ગુણને ગુણ કરનાર બીજો ગુણ નથી. ગુણને બીજા ગુણની જરૂર નથી. તે પોતાના સામર્થ્યથી જ પ્રકાશિત છે. (તે પોતે જ પોતાને ઓળખાવે છે.) દા.ત. “કપડું સફેદ છે.' અહીં સફેદ વર્ણ એ ગુણ છે. જે કપડા (દ્રવ્ય)ને ઓળખાવે (પ્રકાશિત કરે) છે. પરંતુ સફેદવર્ણનો બીજા કોઈ ગુણ છે? અથવા સફેદવર્ણગુણને કોણ ઓળખાવે છે? તેનો ઉત્તર એ છે કે, તે સ્વયં પ્રકાશિત છે. એટલે કે, સફેદવર્ણ, એ જેમ કપડાને ઓળખાવે છે. તેવી રીતે પોતે પોતાને પણ ઓળખાવે છે. સફેદવર્ણને ઓળખવા માટે તેના બીજા કોઈ ગુણની જરૂર નથી. તે જ રીતે જીવ, એ ચેતના અને જ્ઞાનાદિ ગુણોથી ઓળખાય છે, જણાય છે. પરંતુ જ્ઞાનાદિ ગુણને ઓળખવા બીજા ગુણની જરૂર નથી. તે સ્વયં પ્રકાશિત છે. આ રીતે પાંચ, કે છ એ દ્રવ્યોના ગુણો માટે સમજવું. ગુણ, ગુણ વગરના છે, એનો અર્થ, ગુણને પ્રકાશિત થવાને માટે બીજા ગુણની જરૂર રહેતી નથી. તે જણાવવા વિના ગુન: વિશેષણ છે. દ્રવ્યમાં ગુણો સતતપણે રહેલા જ હોય છે. વળી બીજું એ પણ છે કે, ગુણ દ્વારા જ આપણે દ્રવ્યને જાણીએ છીએ. પ્રત્યક્ષ કરીએ છીએ. સીધું દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી. (જુઓ પૃ. ૩૨૮) દરેક વસ્તુનો સ્વભાવ કે ગુણધર્મ એવું જે કહેવાય છે, તેને જ ગુણ કહે છે. ગરમી, પ્રકાશ અને દાહકતા એ અગ્નિનો ગુણધર્મ કે સ્વભાવ છે. એ જ અગ્નિદ્રવ્યનો ગુણ છે. જો કે અહીં અગ્નિ, પાણી, કે ઘર આદિ સર્વે પુદ્ગલ દ્રવ્યના પ્રકારો જ છે. પણ તેને પણ, દ્રવ્યનો પ્રકાર હોવાથી, દ્રવ્ય કહેવાય છે. મનુષ્ય, પશુ, તેમજ તેના ય પેટા પ્રકારો વિગેરે જેવદ્રવ્યના જ પર્યાયો (પ્રકારો) છે, માટે એ બધા જીવદ્રવ્ય કહેવાય.

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410