Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 398
________________ ૩૭૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શક્તિ છે એ, પૂર્વોક્ત ત્રણેયને સક્રિય બનાવે છે. તે ત્રણેયની સાથે જોડાયેલી છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ, ત્રણેય વીર્ય દ્વારા જ સક્રિય થાય છે, એટલે કે તે ત્રણ ગુણમાં જીવ, વીર્યગુણ દ્વારા સક્રિય, તન્મય, એકાકાર, બને છે. જો કે ચારેય એક ચેતન સ્વરૂપ છે. એકમેક થઈને રહેલા છે ક્યારેય જુદા પાડતા કે પાડી શકાતા નથી. પરંતુ સમજવા માટે જુદા પાડીને સમજાવાય છે. દા.ત. ભારેપણું, પીળાપણું અને ચીકણાપણું સોનામાં એકમેક થઈને રહેલા છે, પરંતુ આપણે તેને વ્યક્તપણે જાણવા-અનુભવવા હોય તો જુદી જુદી ઇન્દ્રિયદ્વારા જાણી શકીએ છીએ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ : જીવનો જાણવા, જોવાનો ગુણ, વીર્ય (શક્તિ) ગુણ દ્વારા પ્રવત્ત (સક્રિય) થાય, ત્યારે તેને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ કહેવાય છે. (પૃ. ૭૨) જીવ જોય (જાણવા યોગ્ય) વસ્તુમાં તન્મય બને ને જ્ઞાનોપયોગ છે. એટલે ઉપયોગ એ વિર્યગુણનો પ્રકાર છે. જીવ જ્યારે પુદ્ગલપદાર્થના સંબંધમાં પ્રવૃત્ત (સક્રિય) બને ત્યારે તે વીર્ય ગુણને યોગ કહેવાય છે. તે મન, વચન, કાયા એમ ૩ પ્રકારનો છે. જીવનો જ્ઞાન અને દર્શન ગુણ વીર્યદ્વારા સતત સક્રિય રહે છે. ક્યારેય નિષ્ક્રિય હોતો નથી. એટલે કે જીવ સતત ઉપયોગમાં જ હોય છે. ઉપયોગ વગરનો હોતો નથી. માટે જ જીવનું મુખ્ય લક્ષણ ઉપયોગ કહ્યું છે. ૩પયોm તસ્વપમ્ | અનુપયોગદશા, દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા: જ્યારે જે વસ્તુનું ધ્યાન રાખવાનું જરૂરી હોય ત્યારે તે વસ્તુમાં ધ્યાન ન રહે અને બીજે ધ્યાન હોય તેને અનુપયોગદશા કે ઉપયોગ વગરની દશા કહે છે. સામાન્યથી મંદિરમાં ભક્તિની ક્રિયા કે ધર્મના અનુષ્ઠાનની ક્રિયામાં મન સ્થિર બનાવવું જરૂરી હોય છે. પરંતુ મોટે ભાગે જીવને ત્યાં ધ્યાન રહેતું નથી, મન એકાગ્ર બનતું નથી, પરંતુ બીજા બીજા સાંસારિક વિગેરે

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410