Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 383
________________ (૬૧) સૂત્ર - ૪૦-૪૧ :- ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. → દરેક દ્રવ્યમાં વિશેષ ગુણ અને સામાન્યગુણ હોય છે ઃ પાંચેય દ્રવ્યોના ગુણો (સ્વભાવ, ગુણધર્મો) અલગ અલગ છે. માટે પાંચેય દ્રવ્યો જુદા છે. કેટલાક ગુણો સામાન્ય (સાધારણ) છે. જે એક કરતાં વધારે બીજા દ્રવ્ય, કે દ્રવ્યોમાં રહેલા હોય છે. દા.ત. દ્રવ્યત્વ પ્રમેયત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ વિગેરે ગુણો પાંચેયમાં સામાન્ય છે. ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ આ ત્રિગુણ સ્વભાવ પણ સામાન્ય છે. અચેનત્વ ગુણ, જીવ સિવાય ચારેયમાં સામાન્ય છે. અમૂર્તત્વગુણ, પુદ્ગલ સિવાયના ચારેયમાં સામાન્ય છે. તેથી આ બધા સામાન્ય ગુણ કહેવાય છે. ૩૫૫ કેટલાક ગુણો વિશેષ (અસાધારણ) હોય છે. જે, તે જ દ્રવ્યમાં હોય, તે સિવાયના બીજામાં ન હોય. દા.ત. ચેતનત્વ ગુણ, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આ ગુણો માત્ર જીવમાં જ છે, માટે તે વિશેષગુણ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ ગુણ પુદ્ગલમાં જ છે. માટે તે વિશેષગુણ છે. તે રીતે ધર્મ, અધર્મ, આકાશમાં ક્રમસર ગતિસહાયકત્વ, સ્થિતિ સહાયકત્વ, અવગાહદાનત્વ તે વિશેષગુણો છે. આ રીતે વિશેષ અને સામાન્યગુણો દરેક દ્રવ્યમાં હોય છે. તત્વમાવ: પરિણામ ॥૪॥ અર્થ : તેઓનો (એટલે કે દ્રવ્યોનો અને ગુણોનો) જે ભાવ (પોતાનું સ્વરૂપ) તે પરિણામ કહેવાય. -> ગુણો સદા સ્થાયી હોય છે, પર્યાયો બદલાયા કરે છે ઃ પાંચ અથવા છ દ્રવ્યોનો સ્વભાવ, તે તેનો પરિણામ કહેવાય છે. અહીં દ્રવ્યોનો સ્વભાવ, એટલે કે દ્રવ્યો અને ગુણો સ્થિર હોય છે. પર્યાયો સતત બદલાયા કરે છે. એટલે કે, ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા, આવો જે સ્વભાવ છે, તે જ પરિણામ છે. દ્રવ્યોમાં ગુણો સતત સાથે રહેલા હોય છે. જ્યારે પર્યાયો (રૂપાંતરો) બદલાયા કરે છે. દા.ત. પુદ્ગલમાં હંમેશાં

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410