Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 390
________________ ૩૬૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શું આવ્યું ? ‘બહુ સારું આવ્યું, એકનિર્ણય થઈ ગયો.’ અહીં સારો નિર્ણય તેને પરિણામ-ફળ કહીએ છીએ. વિદ્યાર્થી આખુ વર્ષ ભણ્યો પરીક્ષા લેવાઈ, પરિણામ શું આવ્યું ? પાસ થયો, કે સારા ટકા આવ્યા. એટલે કે અહીં પરિણામનો અર્થ (જે કાર્યનો આરંભ કર્યો તેની) અંતિમસ્થિતિ, વર્તમાનસ્થિતિ, કે વર્તમાનઅવસ્થા, આવો અર્થ થાય. અહીં પાસ થયો, સારા ટકા આવ્યા, આ પરિણામનો અર્થ છે. દા.ત. ૯૫ ટકા આવ્યા, તેનો અર્થ, દરેક વિષયનો સરેરાશ છે. દરેક વિષયનો પરિણામ અલગ હોય છે. વળી વર્ષ દરમિયાન તેનો દરરોજનો અભ્યાસ, તેમાં કરેલી વિગતવાર મહેનત, એ બધા પણ પરિણામ છે. જેનું છેલ્લું પરિણામ ૯૫ ટકા છે. તેવી રીતે સારો નિર્ણય એ મીટિંગોનું અંતિમ પરિણામ છે. તો દરેક દિવસની મીટિંગો તેમાં થયેલી ચર્ચાઓ વિગેરે સઘળી વિગતો પણ પરિણામ છે. પ્રસ્તુતમાં પરિણામને બહુ વ્યાપક રીતે સઘળા વિશ્વના વિષયમાં વિચારીએ તો, વિશ્વમાં સઘળા દ્રવ્યોની વર્તમાનમાં જે સ્થિતિ-અવસ્થા વર્તે છે. તે પરિણામ છે, તે પરિણામ (રૂપાંતર) પૂર્વના સઘળા (અવાંતર) રૂપાંતરો થતાં થતાં થયેલો વર્તમાનનો અંતિમ પરિણામ છે. તે પૂર્વના સઘળા અવાંતરરૂપાંતરો, એ પણ રૂપાંતર (પરિણામ)ના પ્રકારો જ છે. દૃષ્ટાંત તરીકે સમજીએ તો, સૂકીમાટી એ પરિણામ છે, ભીની બની, તે પણ પરિણામ છે, પિંડ બન્યો, ચક્ર પર મૂકાયો, જુદા-જુદા આકાર અપાયા, કાચોઘડો બન્યો, પકાવ્યો, વેચાયો, ઉપયોગમાં આવ્યો, નાશ થયો, માટીમાં મળી ગયો, આ સઘળા અવાંતર પરિણામ છે. જીવદ્રવ્યપણ અનાદિકાળથી છે, કર્મમુજબ અનેક ગતિમાં જન્મમરણ, સુખ, દુઃખ વિગેરે જુદી-જુદી અવસ્થાઓ (રૂપાંતર-પરિણામો)ને અનુભવતો-અનુભવતો અત્યારે મનુષ્ય તરીકે વર્તે છે. તે વર્તમાનનો

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410