Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦] [ જાન્યુઆરી રીઓ પાસેથી રાખવી એ, તેઓના મનની વિશાળતા ઉપર વિચાર કરતાં, આ કાશકુસુમવત્ લાગે છે–તેઓનાં પુસ્તકનાં લીસ્ટ તેઓ પિતે પ્રસિદ્ધ કરાવે તે પણ તેવું જ લાગે છે. જીવનસાફલ્યની આ ઉમદા તક અતિશય ઉદ્યાગી મનસુખભાઈ, લાલભાઈએ પણ ભૂલવી જોઈતી નથી. આવી તકો આવે છે થેડી, શ્રીમાને જ લાગવગથી તેને લાભ લઈ શકે. લાભ ન લીધે તે તક ચાલી જાય, જેન કેમ અંધારામાં જ રહે. કેન્ફરન્સ તરફથી બહાર પડેલા જૈન ગ્રંથ તથા જૈન આગમના ઉપયોગી લીસ્ટમાં દરેક ભંડારના લીસ્ટનું તથા મુનિ મહારાજ પાસેના પુસ્તકનું તારણ દાખલ કરવાની ભાવનગર કેન્સરજો ઠરાવ દ્વારા જે જરૂર સ્વીકારી છે તેને કેટલે અમલ થયે તે જાહેર જૈનપ્રજા જાણતી નથી. ન થ હે શરૂઆતની જરૂર છે. છપાવવા યોગ્ય ગ્રંથ તથા ભાષાંતરે શુદ્ધ અને ભૂલવિનાના છપાય તેવી વ્યવસ્થા માટે મુનિરાજના હાથમાંથી જ ઉપલી ત્રણે વ્યક્તિએ પુસ્તક પસાર કરે તે બસ છે, જૈનના બીજા પુસ્તક પ્રસિદ્ધ કરનારાઓ પણ એજ નિયમ અને નિશ્ચય રાખે તે ઉત્તમ પરિણામ આવે. સતર ઠરાવ જીવદયા સંબંધી છે. જીવદયા એ જૈનધર્મને અને ખેરા મનુષ્યત્વને પાયે છે. જેનબંધુઓ પિતાથી બની શકે ત્યાં મુખ્ય પર્વેએ બની શકે તેટલા પ્રમાણમાં જીવાત થતી અટકાવે છે, પ્રાણી પર કેઈપણ જેન જાણી જોઈને ઘાતકીપણું કરતે નથી, અને બની શકે તે પ્રમાણમાં ઘાતકીપણું બંધ કરાવે છે. જેન કોન્ફરન્સ છેલ્લાં ચાર વર્ષમાં ઘણુક રાજાઓ અને થોડાક અજ્ઞાન ઉતરતી વર્ણના લેકેને ધર્મને બહાને તે પશુવધ અશાસ્ત્ર છે, તેમાં પા૫ છે, એવું સમજાવ્યું છે, અને ઘણી જગ્યાએ પશુવધ અટકાવ્યું છે. વિલાયતી નામથી આપણે અજાણ્યા હોઈએ છીએ, અને તેથી અજાણતાં ગોમાંસ મિશ્રિત વિરલ જેવી ચીજ પણ કઈ કઈ જેને વાપરી હશે. દારૂ અને માંસ મચ્છી એ બન્ને ભાઈ બહેન છે. જ્યાં એક હોય ત્યાં બીજે આવવાને સંભવ છે. એ વાપરનારાઓ અતિશય તામસી, દયાહીન, અભિમાની હોય છે. માટે નાનપણથી જ પોતાનાં બાળકોને સમજાવવું કે દારૂ અને માંસ મચ્છી વાપરવામાં આ ગેરફાયદા છે. સાંભળ્યું છે કે એક પ્રસિદ્ધ મેટા જેન શહેરમાં દારૂને પ્રચાર ઝુંપે છે, અને વધતા જાય છે. બહુજ દિલગીરીની વાત છે, પરંતુ ઉપર બતાવ્ય તેજ ખરે ઉપાય છે. એ વાપરનારાઓની સંગત કરવા ન દેવી એ બીજો ઉપાય છે. એ વાપરનારાઓ જેન કહેવાવા મુશ્કેલ છે. મીલે અને સાંચાથી ચાલતા બધા કારખાનાઓમાં જીવહિંસા અતિશય મોટા પ્રમાણમાં થાય છે, એ, આ લખનાર જાણે છે, પરંતુ હાલના સાંચાકામના જમાનામાં તેના વિના ચલાવવું મુશ્કેલ પડે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 438