Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 290
________________ ૨૮૮ જૈન શશિકાન્ત. સર્વ પ્રવૃત્તિ તથા નિવૃત્તિને જ્ઞાતા આત્મા છે, એમ નહી” આ પ્રમાણે સમજે છે. વળી એ અવિવેકથી સ્વસ્વરૂપ તથા પરસ્વરૂપનું જ્ઞાન હોતું નથી. આ અવિવેક આ સંસારમાં સુલભ છે. દેહ અને આત્માની ભિન્નતાને જણાવનારે વિવેક, કે જેથી હું જ્ઞાનવાન છું, હું અવિનાશી છું, અને ભવાંતરને વિષે જનારહેવા થી દેહથી ભિન્ન છું, એવું માણસને જ્ઞાન થાય છે. ” “હે ભદ્ર, આવા વિવેક તથા અવિવેકનું સ્વરૂપ સમજવાથી માણસને તેના અધ્યાત્મ જ્ઞાનને પ્રકાશ થાય છે." મહાત્માનું આ વચન સાંભળી તે આસ્તિક પુરૂષ અતિ આનદિત થઈ ગયે. તેના આસ્તિક હૃદયમાં વિવેકનું સ્વરૂપ પ્રકાશી નીકળ્યું. તે વિનય પૂર્વક બોલ્ય–“ભગવદ્ કૃપા કરી આ વિવેક તથા અવિવેકનું સ્વરૂપ મારા હૃદયમાં કાયમ રહે, તે કેઈ ઉપાય બતાવે. મહાત્માએ કહ્યું, “ભદ્ર, મહાનુભાવથી યશોવિજયજી ઉપાધ્યાયે તે વિવેક તથા અવિવેકના સ્વરૂપને માટે એક કલેક કહે છે, તે તારા કંઠમાં સ્થાપિત કરી રાખ– આસ્તિક નરે ઉત્સાહથી જણાવ્યું,–“મહાનુભાવ કૃપા કરી તે લૅક કહે.” પછી તે મહાત્મા નીચે પ્રમાણે લેક બેલ્યા હતા– देहात्माद्यविवेकोऽयं सर्वदा खुन जो नवे । जवकोटयापि तद्नेद विवेक स्त्वतिदुर्लनः ॥ १ ॥ અર્થ—(દેહ એજ આત્મા છે) ઈત્યાદિ અવિવેક આ સંસરમાં સદા સુલભ છે. પરંતુ દેહ આત્માને ભેદ કટિભવથી પણ પ્રાપ્ત કર દુર્લભ છે. ૧ મહાત્માના મુખથી આ કલેક સાંભળી તે આસ્તિક આનંદમય થઈ ગયું અને તેણે તે શ્લેક કંઠસ્થ કરી લીધું હતું. પછી તે મહાત્મા ત્યાંથી બીજે વિચરી ગયા અને તે આસ્તિક પુરૂષ નિશંક થઈ એ કલેકનું સ્મરણ કરતે પિતાના નગરમાં આવ્યું હતું. ગુરૂ–કહે છે, હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી તમારે વિવેક તથા અવિવેકનું સ્વરૂપ જાણવું જોઈએ. જ્યારે વિવેકનું સ્વરૂપ તમારા જાણવામાં આવ્યું એટલે તમને અધ્યાત્મ વિદ્યાનું પૂર્ણફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318