Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 296
________________ ૨૯૪ જૈન શશિકાન્ત, મનની સમાધિ મેળવી શકતા નથી.” મહાત્માએ કહ્યું, “શ્રાવકે, તમે બંને જે આ તમારા જુદા જુદા વિચાર બતાવે છે, તે તમારા અનુભવના વિચારે છે કે, બીજાના અનુભવના વિચાર છે,?” બંને મિત્રે નમ્રતાથી બોલ્યા–“મહારાજ, આ અમારા અનુભવના વિચાર નથી પણ કઈ મુનિઓના અનુભવના વિચારે છે. અમે બંનેને કઈ જુદા જુદા મુનિએ જુદા જુદા વિચાર આપેલા છે. હવે એ બંને વિચારમાં કયે વિચાર શ્રેષ્ઠ છે તે અમારી જાણવાની જિજ્ઞાસા છે મહામુનિ વિચાર કરી બોલ્યા--“ભદ્ર, તમને જે જે મુનિએ એ જુદા જુદા વિચાર દર્શાવેલા છે, તે બંને સાચા છે, કારણ કે, તે વાત અધિકાર પરત્વે લેવાની છે, ચારિત્રના મહાન ભારને સહન કરવાને અસમર્થ એવા અધિકારીઓને માટે ચારિત્ર ધર્મઉત્તમ નથી. કારણ કે, તે ચારિત્ર ધર્મને વહન કરવાને અધિકારી નથી, કારણકે તેવા ચપળ હૃદયના માણસથી ચારિત્રારાધન થઈ શકતું નથી. અને તેથી તેનાથી સંસારી ધમી ગૃહસ્થ ઉત્તમ ગણાય છે કે જે દેશથી પિતાના વ્રત પાલી શકે છે. તે ઉપરથી એમ સમજવું કે. વર્તમા નકાળે ચારિત્ર લેવું જ ન જોઈએ પણ વર્તમાનકાળે જો ચારિત્ર લેવા ના ઉત્તમ અધિકારીઓ હોય તે તેમને ચારિત્ર ગ્રહણ કરવું તે શિ. વાય બીજાએ ગ્રહણ કરવું નહિ. અધિકાર વગર ગ્રહણ કરેલા ચારિ. રિત્રને નિર્વાહ થઈ શક્તિ નથી. જ્યારે ચારિત્ર લીધા પછી તેને નિવહ ન થાય તે તેના કરતાં ગૃહસ્થાવાસમાં રહેવું વધારે ઉત્તમ છે અને ગૃહસ્થાવાસી તેનાથી સારી રીતે ધર્મસાધન કરી શકે છે. જે મુનિએ ચારિત્ર લેવાનો પક્ષ બતાવ્યું તે પણ અધિકાર પરત્વ છે ગ્ય અધિકારીએ અવશ્ય ચારિત્ર ગ્રહણ કરવું તેવાઓને ચારિત્ર વિના સુખ સમાધિએ ધમરાધન થઈ શકતું નથી. આ તમારા બંનેની શંકાઓનું સમાધાન છે. અને મને લાગે છે, તે તમારા ઉપદેશક મુનિઓને આશય એ હશે હવે તમારે તે વિષે જરાપણ શંકા રાખવી નહીં, જે તમારા માટે કોઇ ચારિત્રને અધિકારી હોય તેણે ચારિત્ર લેવું અને જે પૃહાવાસમાં રહેવા અ ધિકારી હેય તેણે ગૃહાવાસમાં રહેવું ” ગુરૂના આવા વચન સાંભળી તે બંને મિત્રે પ્રસન્ન થઇ ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318