Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 353
________________ [૬] નંદ મણિકાર રાજગૃહ નગરીમાં નંદનામનો એક હોશીયાર મણિકાર રહેતો હતો. તે ઝવેરાતનો ધંધો કરતો હતો. દેશવિદેશના ઘણા ગ્રાહકો તેની દુકાનેથી માલ ખરીદી સંતોષપૂર્વક વ્યવહાર કરતા હતા. એક દિવસ નંદ પોતાની દુકાને બેઠો હતો ત્યારે તેણે ઘણા માણસો એક ઉદ્યાન તરફ જઈ રહ્યા હતા તે જોયું અને તેણે ત્યાંથી પસાર થતા એક મહાનુભાવને પૂછ્યું, “આ બધા લોકો ક્યાં જાય છે?” તે મહાનુભાવે કહ્યું, “ગુણશીલ ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે. તેમનાં દર્શન કરવા તથા દેશના સાંભળવા બધા ત્યાં જઈ રહ્યા છે.' નંદે વિચાર્યું ઃ ભગવાન મહાવીર આત્મકલ્યાણ અને શાંતિનો માર્ગ બતાવે છે, તો હું પણ એમની દેશના સાંભળવા જાઉં. તે પોતાના કેટલાક સેવકો સાથે ભગવાન મહાવીરની દેશના સાંભળવા પહોંચી ગયો. પહોંચતાં જ તેણે દૂરથી જ ઊભા ઊભા વંદના કરી અને પુરુષો જ્યાં બેઠા હતા ત્યાં તે સેવકો સાથે બેસી ભગવાનનું પ્રવચન સાંભળવા લાગ્યો. ભગવાન પ્રવચનમાં સમજાવતા હતા : પેટની ભૂખ તો બહુ ઓછી હોય છે, શેર-બશેર ધાન્યથી પેટ ધરાઈ જાય છે; પણ મનની ભૂખમાં મનુષ્ય કદી ધરાતો નથી. મેરુ પર્વત જેટલાં સોનાચાંદી મળે તો પણ તેને મનથી તૃપ્તિ થતી નથી. આથી તે સદા અશાન્ત રહે છે. મનની શાન્તિ મેળવવા ઇચ્છાના ઘોડા ઉપર સંયમની લગામ રાખો, જરૂરિયાત ઓછી કરો, મળ્યાં હોય તે સાધનોથી સંતોષ માનો.” ભગવાનના પ્રવચનની નંદના મન ઉપર સારી અસર થઈ. તે ભગવાન સન્મુખ આવીને બોલ્યો : “ભગવાન આપની વાત સાચી છે. મારો પણ અનુભવ એવો જ છે. મન ઉપર સંયમ રાખવાથી આત્માને શાંતિ મળે છે. આપના ઉપદેશનો હું સ્વીકાર કરું છું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404