________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા અતિમુકત
( જેમણે ઈરિયાવહિ પડિકક્કમતાં કેવલજ્ઞાન મેળવ્યું. ]
લેખક–મુનિરાજ શ્રી સુશીલવિજયજી અતિમુક્ત મહામુનિ એટલે અઢી હજાર વર્ષ પૂર્વે થયેલ એક સમર્થ વ્યક્તિ. તેઓ વિજ્ય રાજા અને શ્રીમતી રાણીના એકના એક લાડકવાયા પુત્ર હતા. તેમણે બાલવયમાં રાજઋદ્ધિ અને વૈભવને ઠોકર મારી, વૈભવ-વિલાસને તિલાંજલી દઈ સંસારની આધિવ્યાધિ ઉપાધિને છોડી, ભાગવતી દીક્ષા સ્વીકારી હતી. તેઓ પ્રથમ ગણધર શ્રી. ગતિમસ્વામીના લઘુ શિષ્ય હતા. એ બાળ મુનિ પ્રભુ મહાવીરના સમવસરણમાં ઇરિયાવહિ પરિક્કમતાં ઘાતી કર્મને ચકચર કરતાં કાલોક પ્રકાશક કેવલજ્ઞાન પામ્યા હતા. જેન આલમમાં આ મહાપુરુષનું નામ એટલું બધું પ્રસિદ્ધ અને પવિત્ર છે કે સવારના પહોરમાં સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા સા કોઈ તેમને રાઈ પ્રતિક્રમણ કરતાં ભરહેરની સજઝાયમાં અહર્નિશ મરે છે. શ્રમણ ભગવાન મહાવીરના ચરણ સ્પર્શથી પવિત્ર થયેલ પેઢાલપુર નામનું નગર હતું. ત્યાં વિજય નામનો રાજા રાજ્ય કરતા હતા. શ્રીમતી નામની શીલવંતી પતિવ્રતા પટ્ટરાણી હતી. તે બન્નેના ધાર્મિક સંસ્કાર એટલા બધા ઉચ્ચ હતા કે તેઓ કોઈ પણ દિવસ પ્રભુપૂજા, દાનાદિક કાર્ય કર્યા વિના અન્નપાણી રવીકારતા નહીં. પર્વતિથિએ યથાશક્તિ તપસ્યાદિથી પણ વંચિત રહેતા ન હતાં. જે નગરના નરેશ આવા ધાર્મિક હોય તે નગરની પ્રજા પણ ધાર્મિક હવે તેમાં કહેવું જ શું ? લેકમાં પણ કહેવાય છે કે “યથા નાના તથા પ્રજ્ઞા” વળી સેનું અને સુગંધ બને ભેગાં થયાં, પછી એમાં ત્રુટી શું?
આમ પ્રજાનું પાલન કરતાં અને ધાર્મિક જીવન ગુજારતાં રાજાને ત્યાં અનુક્રમે એક પુત્ર ઉત્પન્ન થયો. રાજાએ તેને ઘણું જ મહોત્સવ પૂર્વક જન્મ ઉત્સવ ઉજવ્યો અને તે બાલકનું “અતિ મુક્ત” [ અઈમુત્તાકુમાર] એવું નામ પાડયું. ક્રમે બાળક બીજના ચંદ્રની જેમ વધતાં આઠ વર્ષને થયે. એકદા તે અઈમુત્તાકુમાર રાજમાર્ગ પર અનેક બાળકે સાથે બાળક્રીડા કરી રહ્યો હતો. એવામાં કર્મસંગે એ જ રાજમાર્ગ પર લંબ્ધિવંત શ્રી. ગૌતમસ્વામી ગોચરી અથે સંચર્યો. થોડી વારમાં તો શ્રી. ગૌતમસ્વામી જ્યાં બાળકે બાળક્રીડા કરી રહ્યાં હતાં ત્યાં આવી પહોંચ્યા. તેમને દેખતાંની સાથે અઈમુત્તાકુમાર પૂર્વ ભવના દૃઢ સંસ્કારને લઈને ગૌતમસ્વામી ભગવંતના ચરણ કમળમાં ઢળી પડ્યો અને ગૌતમસ્વામી ભગવંતને કહેવા લાગ્યોઃ “હે પ્રભે! હું આપની જેવો થઈશ.” આ સાંભળી ગૌતમસ્વામી ભગવંત આશ્ચર્યચકિત થઈ ગયા અને તે રાજબાલકને કહેવા લાગ્યા કે-“ભાઈ, ચારિત્ર તે ખાંડાની ધાર જેવું આકરું અને લોઢાના ચણા ચાવવા જેવું કઠેર છે, એ કંઈ નાના છોકરાઓને ખેલ નથી. એ તે જિંદગીભર પાળવાનાં મહાત્ર છે.”
આટલું કહેવા છતાં તે રાજકુમારે ફરીથી એમ જ જશુવ્યું કેઃ “હે પ્રભો ! હું બાલક છું છતાં પશુ આપના સમાન થઈશ. ”
For Private And Personal Use Only