Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] ગીની ગહન વાણું [ ૯૯ રમાં રમા ન હોય, અર્થાત્ પરભાવ દશાના સમયમાં સર્વ આત્માઓને મેં ભગવ્યા છે. પૂર્વે મિથ્યાત્વ દશામાં મારું બળ ખરેખર પરભાવમાં પરિણામ પામીને આત્માને પરભાવમાં રમાડવા સમર્થ બન્યું હતું. પૂર્વની દશા મારી જોઉં છું તે મિથ્યાત્વ દશામાં પણ મારી વિચિત્ર ગતિ હતી. મિથ્યાત્વ દશામાં પણ હું પૂર્વે પરણેલી નહોતી અને કુમારી પણ નહોતી, તેમ સમ્યકત્વ પરિણામને પામેલી એવી હું કોઈની સાથે પરણેલી નથી, અદ્યાપિપર્યત હું બાલ કુમારિકા છું. સામાન્ય મિશ્ચમતિ અને સામાન્ય સભ્યત્વમતિની અપેક્ષાએ સર્વ આત્માએની સાથે સંબન્ધ ધરાવનારી એવી મતિનું આ પ્રમાણે બોલવું થાય છે એમ વાચકોએ લક્ષમાં રાખવું. અઢી દ્વીપમેં ખાટ ખટુલી, ગગન ઓશીકુ તલાઈ; ધરતીક છેડે આભડી પીછોડી, તેય ન સોડ ભરાઈ. અવધૂ. ૪ મતિ કહે છે કે જેમાં મનુષ્ય વસે છે એવા અઢી દ્વીપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ ચાર પાયાના ય વસ્તુરૂપ ખાટલામાં હું આલોટું છું. અથવા પરભાવ પરિણતિનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ ખાટલામાં હું આલોટતી છતી પડી રહું છું. વળી ઉચ્ચ પરિણામરૂપ ગગનનું ઓશીકું અને સેય પદાર્થરૂપ પૃથ્વીને છેડે તે મારી તળાઈ છે, તેમજ સર્વ આકાશની પીછડી મેં ઓઢી છે તો પણ મારી સોડ ભરાતી નથી. અર્થાત્ હું ઉપર કહેલી મર્યાદામાં સમાઈ શકતી નથી. વળી મતિ કહે છે કે હું અઢી દ્વીપમાં સદાકાળ વસું છું. દેવલોકમાં ઊંચે પણ રહું છું, નીચે સાત પૃથ્વીના છેડા સુધી પણ હું રહું છું. અર્થાત્ ચૌદ રાજલેકમાં મતિને ધારણ કરનારા સર્વ જીવો વસે છે. ગગન મંડલમેં ગાય વીઆણી, વસુધા દુધ જમાઈ સઉરે સુને ભાઈ વલેણું વલે તે, તત્ત્વ અમૃત કોઈ પાઈ. અવધૂ. ૫ કર્ણરૂપ આકાશ મંડલમાં શ્રી સર્વજ્ઞ પ્રભુની વાણીરૂપ ગાય વીઆણું તેનું શ્રી દ્વાદશાંગીરૂપ પૃથ્વી ઉપર દુધ જમાવ્યું. તેને વિવેકી મનુષ્યોએ વલોવ્યું. તેમાંથી જે માખણ નીકળયું તેને વિરલ મનુષ્યોએ પ્રાપ્ત કર્યું. અને જે છાશ નીકલી તેમાં અનેક મનુષ્યો લલચાયા. નહિ જાઉં સાસરીએ ને નહિં જાઉ પિયરીએ, પીયુજીકી સેજ બીછાઈ આનન્દઘન કહે અને ભાઈ સાધુ, જ્યોત સે જ્યોત મિલાઈ. અવધૂ. ૬ સમ્યગમતિ કહે છે કે હવે તે હું અપ્રમત્તદશાની અવસ્થા પામી છું, માટે નિશ્ચય સમ્યકત્વનું કારણ એવા વ્યવહાર સમ્યકત્વરૂપ સસરે અને બાહ્ય ધર્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44