Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૫ સુધી ચાલતી નથી. પ્રથમ સમયની અને બીજા ત્રીજા સમયની તે દરેક ક્રિયાના જુદાં કાર્યો છે. એ રીતે દરેક સમયની ક્રિયા જુદાં જુદાં કાર્યો કરે છે માટે સફળ છે. પરંતુ “કરાતું એ કરાયું ” નહિ માનનારને ચોથો દેષ સારી રીતે લાગે છે તે આ પ્રમાણે-- પ્રથમ તો તેમણે કરાતું એ કરાયું નથી' એમ સિદ્ધ કરવા અસત કાર્ય માન્યું. અસત કાર્યની ઉત્પત્તિ થાય છે એમ માનનાર જેમ ઘટ અસત્ છે ને તેમાં ક્રિયા વગેરે કરવાથી ઉત્પન્ન થાય છે તેમ સલાના શીંગડાં પણ અસત છે માટે ઉત્પન્ન થવાં જોઈએ; એમ માની તેને ઉત્પન્ન કરવા ક્રિયા કરે. સસલાનાં શીંગડાં કદી ઉત્પન્ન થતાં નથી માટે તેને માટે જે ક્રિયા કરવામાં આવી તે સર્વ નિષ્ફળ છે. એ પ્રમાણે ક્રિયાના નિષ્ફળ થવારૂપ દોષ લાગુ પડે છે. ‘કરાતું એ કરાયું” માનનારને તે દોષ, અસત્ કાર્યની ઉત્પત્તિ નહિ માનતા હોવાથી, લાગુ પડતો નથી. એ પ્રમાણે ચોથા દોષનું સમાધાન થયું. પાંચમા દોષનું સમાધાન-પાંચમા દોષમાં કહેલ કે “કરાતું એ કરાયું’ માનનારને મતે ઘણો સમય જે ક્રિયા દેખાય છે તે ન દેખાવી જોઇએ કારણ કે તેને મને પ્રથમ કાર્ય થઈ ગયું. હવે બીજે અને ત્રીજે સમયે જે ક્રિયા છે તે નિષ્ફળ છે. નિષ્ફળ ક્રિયા હેતી નથી માટે દેખાવી જોઈએ, પણ મૂરું નાસિત પુતઃ શા (મૂળ નથી તો શાખા કયાંથી ) એ ન્યાયે પ્રથમ તો ઘણે સમય જે ક્રિયા દેખાય છે તે વાત જ નિધ્યા છે. કારણ કે એક ક્રિયા ઘણા સમય સુધી રહેતી જ નથી. દરેક સમયે નવી નવી ક્રિયા ઉત્પન્ન થાય છે અને નવા નવા કાર્યને ઉત્પન્ન કરે છે. - હવે પૂર્વે કહ્યા પ્રમાણે પ્રથમ સમયે ઘટની ક્રિયા નથી માટે પ્રથમ સમયે ઘટ થતો નથી. બીજે ત્રીજે સમયે જે ક્રિયા દેખાય છે તે પણ ઘટ માટેની નથી પણ તેનાં કાર્યો જુદાં માટે તે ક્રિયાઓ પણ સફળ છે અને સફળ હોવાને કારણે મિથ્યા નથી માટે દેખાય છે. એ પ્રમાણે પાંચમાં દોષનું સમાધાન થયું. એ પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાલિને અભિમત પાંચ દોષ બતાવીને પછી તેનું સમાધાન કરીને જમાલિને પૂછયું કે-આ પ્રમાણે જ્યારે “કરાતું એ કરાયું’ એ વાદ દોષ વગરનો છે તો તમે ભગવાન શ્રી મહાવીરનું વચન અસત્ય છે એમ શાથી કહે છે ? ઉપર પ્રમાણે સ્થવિર મુનિઓનું કથન સાંભળી જમાલિ મુનિઓને ઉત્તર આપે છે કે: તમે જે કહો છો તે પ્રમાણે મને અનુભવ થતો નથી પણ મને તે એવો અનુભવ થાય છે કે માટી લાવવી, પલાળવી વગેરે ક્રિયાથી લઈ ઘટના ઉત્પન્ન થવા સુધીને જે ક્રિયાકાળ છે તે સર્વ ઘટનો જ છે અને એ રીતે પ્રથમ સમયે ઘટ કરાતો હોવા છતાં કરાયો નથી કારણ કે કરાયો હોય તો દેખાવો જોઈએ પણ દેખાતો નથી. જે પ્રમાણે ઘટ કરાતો છતાં કરાયો નથી તે પ્રમાણે સર્વ વસ્તુઓ કરાતાં છતાં કરાઈ નથી માટે કરાતું એ કરાયું’ એવું પ્રભુ મહાવીરનું વચન યથાર્થ નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44