________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
પ્રસિદ્ધ થયું. એવી રીતે વંગ (બંગ), કલિંગ-સૂરણ, અવન્તિ આદિ રાજકુમારના નામથી તે તે દેશનાં નામે પ્રસિદ્ધિ પામ્યાં. કરૂરાજ કુમાર હથિ નામે થયો. તેણે હસ્તિનાપુર નગર વસાવ્યું. તે નગરીની પાસે પવિત્ર જલથી ભરેલી ગંગા નદી વહે છે. - હસ્તિનાપુરીમાં શ્રો. શાંતિનાથજી, શ્રી, કુથુનાથજી અને શ્રીઅરનાથજી ભગવાન સેલમા સત્તરમા અને અઢારમા ત્રણે તિર્થંકર ભગવાને અનુક્રમે થયા છે. તેઓ અનુક્રમે પાંચમા, છટ્ઠા અને સાતમા ચક્રવર્તિઓ હતા. તેઓ ચક્રવતિ થયા પછી ભારતના છે ખડની ઋદ્ધિ ભોગવી છેવટે તેને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી અને કેવલજ્ઞાન પણ અહીં જ પામ્યા હતા. અર્થાત્ આ ત્રણે તીર્થંકરેનાં અવન, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાન આ ચારે કલ્યાણક હસ્તિનાપુરમાં જ થયાં છે.
ત્યાં (હસ્તિનાપુરીમાં) બાહુબલિના નgs શ્રેયાંસ કુમારને ત્રિભુવનગુરૂના દર્શનથી
૩ આજે પણ શ્રો. હસ્તિનાપુરજીની પાસે ગંગા નદી વહે છે. જે આપણા મંદિરથી અડધો માઈલ દૂર છે. તેને બુડગંગા કહે છે. તેમજ મોટી ગંગા નદી પણ આપણું મંદિરથી પાંચ માઈલ દુર છે. જ્યારે ગંગા નદીમાં પાણી આવે છે ત્યારે બન્ને નદીઓ એક થઈ જાય છે. અત્યારે પગ તે નદીઓનાં સ્નાનના મેળા ભરાય છે. તેની પ્રદક્ષિણ થાય છે વૈશાખ શુદિ ને દિવસે ખાસ ગંગાસ્નાનને છે, તેમજ કા. સુ. ૧૫ હાણને દિવસ મનાય છે.
૪ શ્રીશાન્તિનાથ ભગવાન ના પિતાનું નામ વિશ્વસેન રાજા, માતાનું નામ અચિરાદેવી. કુરેદેશમાં એકવાર ભયંકર અકીને ઉપદ્રવ થયેલો. કઈ રીતે શાન્તિ થતી નહેતી. પ્રભુજી માતાની કુક્ષિમાં આવ્યા પછી તેમની માતાએ અમૃત છાંટયું જેથી દેશમાં શાંત થઈ રોગ શમી ગયે. પુત્રને આ પ્રભાવ જોઈ માતાપિતાએ પુત્રનું નામ ગુણનિષ્પન્ન શાન્તિનાથજી રાખ્યું તેમનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું. ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર હતું. શરીરને વર્ણ સુવર્ણ સમાન હતું અને મૃગનું લાંછન હતું.
૫ શ્રીકુંથુનાથ ભગવાનના પિતાનું નામ સૂરાજા, માતાનું નામ શ્રીરાણી હતું. માતાની કક્ષમાં તેમનું વન થયા પછી સૂરરાજાના શત્રુઓ કુંથુઆ જેવા નાના નાના થઈને નાસી ગયા હતા. તેમજ દરેક નાના મોટા જીવોનું રક્ષણ કર્યું હતું માટે પુત્રનું નામ કુંથુનાથજી રાખ્યું. પંચાણુ હરિ વષનું આયુષ્ય અને પાંત્રોશ ધનુષ્યનું શરીર હતું. શરીરને સુવર્ણવર્ણ તથા લાંછન છાગ-બેકડાનું હતું.
૬ શ્રીઅરનાથ ભગવાનના પિતાનું નામ સુદર્શન રાજા. માતાનું નામ દેવીરાણું હતું. ભગવાન માતાની કુક્ષિમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં રનમય શુભ તથા આર. દીઠે હતો જેથી પુત્રનું નામ અરનાથજી રાખ્યું. એ રાશી હજાર વર્ષનું આયુષ્ય તથા ત્રીશ ધનુષ્યનું શરીર માન હતું. શરીરને સુવર્ણવર્ણ તથા લાંછન નંદાવત સ્વરિતકનું હતું.
૭ આ સંબંધમાં કલ્પસૂત્ર સુબોધિકાકાર, મહાવિદ્વાન ઉપાધ્યાયજી મહારાજ શ્રી. વિનયવિજય મહારાજ આવશ્યક વૃત્તિના અનુસારે જણાવે છે કે “બાહુબલિનો પુત્ર સોમપ્રમ અને તેમને પુત્ર શ્રેયાંસ યુવરાજ હતા. વિશેષ પરિચય હું ગતાંકમાં આપી ગયો છું. આ શ્રેયાંસ કુમારને પ્રભુ સાથે આઠ ભવને સંબંધ હતું જે આ પ્રમાણે છે
For Private And Personal Use Only