Book Title: Jain Satyaprakash 1937 11 SrNo 28
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાં લોકોત્તરગમન થતું નથી? લેખક * શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા, પાલીતાણું “શ્રી એગ કૌસ્તુભ” નામનું પુસ્તક, જે બીલખા કાઠીયાવાડ આનંદાશ્રમ તરફથી જનાર બ્રહ્મભૂત મહારાજશ્રી નથુરામ શર્મા તરફથી સં. ૧૯૮૮માં બહાર પડેલ છે તેમાં ૫૪ મે પાને સિદ્ધશિલા સંબંધમાં જે લખાણ આલેખવામાં આવેલું છે તે સમીચીન નથી, જેથી આ લેખ લખ્યો છે. મૂળ લખાણુની વિગત આ પ્રમાણે છે : “લોકાચમાં સિદ્ધશિલાના મધ્ય ભાગમાં ૩૩૩૩ ધનુષ પરિમાણના પ્રદેશમાં સિદ્ધ પુરૂષે સ્થિતિ કરવી એ મોક્ષ નથી સિદ્ધનું સ્વરૂપ તમે અમૂર્ત માને છે તેમ તેને નિરવયવ પણ માનવું જોઈએ. નિરવ સૂક્ષ્મતમ પદાર્થ વ્યાપક હેવો જોઈએ; તે એક દેશીય હાય નહિ. સિદ્ધ આકાશમાં રહે છે ને આકાશથી સિદ્ધનું સ્વરૂપ ધૂળ છે, એમ જે તમે કહે તો તેમાં પણ દેષ આવે છે. કેમકે સિદ્ધનું અધિષ્ઠાતા જે આકાશ તે સિદ્ધથી વિશેષ થાયી અને અવિકારી કરે છે, જે તમને ઇષ્ટ નથી. માટે નિરતિશય વ્યાપક, સૂક્ષ્મતમ ને સર્વ દૃષ્ય પ્રમેય અધષ્ઠાન જે બ્રહ્મ છે તે જ પિતાનું સ્વરૂપ છે, એમ સમજાય. પિતાના આદિ સ્વરૂપમાં સ્થિતિ થાય તે જ વાસ્તવિક છે અને મેક્ષ છે. એટલે મેક્ષમાં લેત્તર ગમન માનવું ઉચિત નથી. શ્રુતિ ભગવતી પણ “ન તન્ચ urr હતુતિ ?” (તે જ્ઞાનીના પ્રાણ લત્તરમાં ગમન કરતા નવી ) એ વચનથી એ જ વાત દર્શાવે છે. કેગના પરિપાકથી સાધકના અતિવાહક દેહની તેના રસ્થૂળ શરીરના બ્રહ્મરંધ્રમાં સ્થિતિ થાય ત્યારે તેને પોતાનું સ્થૂળ શરીર મેરા બ્રહ્માંડ જેવડું જણાય છે. તે પુરૂષાકાર બ્રહ્માંડને ઉપરને ભાગ જે પરી તે સિદ્ધશિલા. બ્રહ્માંધ તે સિદ્ધનું સ્થાનક છે, એમ જે તમે કહે છે જ્યાંસુધી માયાના પરિણામરૂપ અતિવહિક (લિંગ) દેહને સદ્ભાવ છે ત્યાંસુધી મેક્ષ માને એ ઉચિત નથી. પણ માયિક ભાવને સર્વથા આત્યંતિક અભાવ થાય ત્યારેજ મેક્ષ સંભવે છે. સાધકોને પ્રોત્સાહન આપવા માટે સિદ્ધના સ્વરૂપની કલ્પના કરી છે.” લેખક મહાશયને આધમાં જણાવવાનું કે આપે “સાધકને પ્રેમ હન આપવા માટે સિદ્ધના સ્વરૂપની કલ્પના કરી છે” એમ માને છે તેવી રીતે સિદ્ધશિલાની કલ્પના કરવામાં આવી નથી, ૫) તે સત્ય છે. જિનગમો જિનેંદ્ર ભગવાને પિતાના કૈવલ્યજ્ઞાનમાં જે ભાળ્યું તે પ્રમાણે કચ્યાં છે, તેથી તે આગમ એટલે પ્રમાણુ વાણી છે. તેમાં કલ્પના કે અસત્ય વાણીને સ્થાન નથી, તે બાબત, વસ્તુસ્થિતિનું પૃથક્કરગું કરવાથી સ્પષ્ટ સમજાય તેમ છે. જૈન ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય આદિ અજીવ ત અરૂપી માને છે, અને તે નિવયવી અને સૂક્ષ્મતમ પદાર્થ હોવાથી તે દ્રવ્યને ચેદ રાજલોકમાં વ્યાપક પણ માને છે. પણ આત્મદ્રવ્ય જે શરીર વ્યાપી છે તે જ્યારે મેક્ષ ગતિને પામે છે ત્યારે તે સિદ્ધશિલામાં જાય છે, અને પિતાના કેવળજ્ઞાનથી આખું સચરાચર-બ્રહ્માંડ તે જોઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44