Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 243
________________ ૨૨૮ ભાગ્યવિધાયક ભામાશાહ. બરોબર આ સમસે પચીસેક વર્ષની એકતરૂણીએ શાહજાદા સલીમની સન્મુખ આવીને કહ્યું. શાહજાદા સાહેબ ! કેને આપની રાજરાણી બનાવવાને માગે છે?” શાહજાદાએ નીસામાંજ જવાબ આપે. “તને, મારી રજી. યા ! તને જ. બીજી કેને?” તે આવનાર તરૂણું ઉમરાવ હૈની બીબી ૨જીયા જ હતી. તેણે કહ્યું. “ખોટી વાત! આપ તે પેલી નાદાન છોકરી મહેરને આપની રાજરાણું બનાવવાને માગો છો; કેમ ખરું ને?” મહેર ! હા, મહેરને, પછી છે કાંઈ?” શાહજાદાએ પુનઃ નીસામાં જ જવાબ આપે. ઠીક, તે પછી મને વિસારી મૂકશો ને?” અને જે મને આ પ્રમાણે વિસારી મૂકવાને માગતા હતા, તે પછી મારી સાથે પ્રેમસંબંધ શા માટે બાં ?” રજીયાએ કર્કશતાથી પ્રશ્ન કર્યો. ૨જીયાના કર્કશ સ્વરથી શાહજાદાને જરા ભાન આવ્યું. તેને લાગ્યું કે નીસામાં તેણે કાચું કાપ્યું હતું અને તેથી પોતાની થયેલ ભૂલને સુધારી લેવાને માટે તે એકદમ ઉભું થઈ ગયે અને રજીયાના કમળ કરને પ્રેમથી પકડીને તેને પિતાની તરફ ખેંચીને બે. કેણ પ્યારી રજીયા! જીન્નતની હુરી! તું અહીં કયાંથી? તું અહીં કેટલા સમયથી આવીને ઉભી છે?” રજી કાંઈ કાચીપી નહોતી કે તે શાહજાદાનાં આ ઉપર ઉપરનાં મીઠાં વચનેને ન સમજી શકે. તેણે ઝટ લઈને તેના હાથને તરછોડી નાંખીને કહ્યું. “નહિ, શાહજાદા સાહેબ ! હું હવે તમારાં મીઠાં મીઠાં વચનથી ભેળવાઈ જવાની નથી. તમે મહેરને ચાહતા અને તેને આપની રાજરાણું બનાવવાને માગતા હે, ભલે, હું મારે આ ચાલી. આપના જેવા ચંચળ ચિત્તના પુરૂષ સાથે પ્યાર બાં ધવાથી જે આવું ફળ મળતું હશે, એવી મને પ્રથમથી ખબર હોત, તે હું મારા ખાવિંદને વિશ્વાસઘાત કરીને કદિ પણ આપની સાથે પ્રેમ જોડવાને આવત નહિ.” આ પ્રમાણે કહીને રજીયા ત્યાંથી રીસાઈને ચાલી જવા લાગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290