Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 274
________________ ર૫૯ પ્રેમી યુગલ. • ભૂલી જાય છે. આપના સંબંધમાં પણ આમ જ થયું છે. આપ જ્યારે મારા પરિચયને ભૂલી ગયા છે, ત્યારે મારે આપને યાદી આપવી જોઈએ કે હું શાહજાદી આરામબેગમની બાંદી છું અને મારું નામ જુલિયા છે.” બાંદી જુલિયાએ પિતાને પરિચય કરાવતાં કહ્યું. જુલિયા?” વિજયે અજાયબ થઈને કહ્યું, “તમને તે હું સારી રીતે ઓળખું છું, કારણ કે આજથી કેટલાક સમય પૂર્વે યમુના નદીના કિનારેથી (મેજ મને શાહજાદી સાહિબાની હજુરમાં લઈ ગયાં હતાં, પરંતુ તેને આજ ઘણે સમય થઈ ગયો હોવાથી હું તમને ઓળખી શકે નહોતો ઠીક, પણ તમારું આગમન અત્રે શા કારણથી થયું છે? શાહજાદી સાહિબાની તબીયત કેવી છે?” વિજયકુમાર !” જુલિયાએ જવાબ આપે. “હું અને શા કારણથી આવી છું તથા શાહજાદી સાહિબાની તબીયત કેવી છે, તે સંબંધી વિગતવાર વાત કહેવાને મને અવકાશ નથી, કારણ કે હું અને આવી છું, તે ઘણું જ છુપી રીતે આવેલી છું અને તેથી શાહજાદી સાહેબાએ આપને આપવાને એક કાગળ આપે છે, તે આપીને જ અત્રેથી ચાલ્યા જવાની રજા લઉં છું.” જુલિયાએ એ પ્રમાણે કહીને વસ્ત્રમાં છુપાવી રાખેલે એક કાગળ કહાડીને વિજયને આપે. વિજયે તે કાગળને પિતાના હાથમાં લીધે, તે પછી જુલિયાએ કહ્યું. “આપની જુદાઈથી શાહજાદી સાહિબાના કેવા હાલ થયા છે, તે આપ સદરહુ કાગળના વાચનથી જાણી શકશે. હવે હું જાઉં છું અને કહું છું કે આપને શાહજાદી સાહિબાના આ કાગળના પ્રત્યુત્તરમાં કાગળ લખો હોય, તે લખીને આપના વિશ્વાસુ માણસ સાથે યમુના નદિના કિનારે ચક્કસ સ્થળે રાત્રિના આઠ વાગે મેકલવાની વ્યવસ્થા કરજે. હું તેની રાહ જોતી ત્યાં ઉભેલી હઈશ.” આટલું કહીને બાંદી જુલિયા ઝપાટાબંધ ઓરડાની બહાર નોકળી ગઈ અને ક્ષણવારમાં આગ્રાના વિશાળ રાજ માર્ગમાં થઈને અદશ્ય થઈ ગઈ. જાલયાના ગમન પછી વિજયે કાગળને બરાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290