Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 256
________________ ધર્મનું સ્વરૂપ. આતમાં ખુદાને બિસિમલ્લાહ રસિમાનુર રહીમ, એ વિશેષણ આપવામાં આવેલું હોવાથી દરેક જીવે ઉપર રહેમ રાખવી જોઈએ, એ સહજમાં સમજી શકાય તેમ છે. આ ઉપરાંત જૈન, હિંદુ અને ઈસલામ ધર્મોમાં અહિંસાનું પ્રતિપાદન ઘણી રીતે કરવામાં આવ્યું છે અને જે હું આપને સર્વ હકીક્ત વિસ્તારપૂર્વક સમજાવવાને બેસું, તે ઘણે સમય લાગી જાય તેમ છે. અને તેથી આપને અત્રે ટુંકામાં હું એટલું જ કહું છું કે પ્રત્યેક ધર્મમાં અહિંસાને મુખ્ય વ્રત માનવામાં આવ્યું છે. એટલું જ નહિં પણ તેની ઘણી જ પ્રશંસા કરવામાં આવી છે. આટલા વિયન ઉપરથી આપ સારી રીતે સમજી શક્યા હશો કે જીવહિંસા એ મોટામાં મોટું પાપ છે અને અહિંસા એ મોટામાં મોટું પુણ્ય છે. ધર્મનું સત્ય સ્વરૂપ પણ તેમાં જ આવી જતું હોવાથી માનવધર્મનાં બી જાં અગિયાર વ્રત જે બાકી રહે છે, તે વિષે હું આગળ કઈ અનુકુળ વખતે આપને સમજણ પાડીશ.” સૂરિજીનું ઉપર્યુક્ત વિવેચન સાંભળીને શહેનશાહ અકબર ઘણો જ ખુશી થઈ ગયા અને તેથી તેણે આનંદપૂર્વક કહ્યું. “સૂરિજી ! આપની પાસેથી ધર્મનું સત્ય સ્વરૂપ જાણુને હું બહુ જ ખુશી થયે છું. આજ સુધી મેં અનેક વિદ્વાનોની ઉપદેશવાણી સાંભળી હતી, પરંતુ તેમાં આપની આજની ઉપદેશવાણી જે મને કઈ વખત પણ રસ લાગે નહોતે. અહિંસા અને હિંસા એ ઉભય કર્મનું વિવેચન સાંભળીને મારા હૃદયમાં ઘણું જ અસર થઈ છે અને તેથી હું આપના ઉપદેશ પ્રમાણે વર્તવાને મારાથી બનતે પ્રયાસ કરીશ. પાક પરવરદેગારે ખરી રીતે આપ કહે છે, તે પ્રમાણે સર્વ જીવે ઉપર રહેમ રાખવાનું જ ફરમાન કરેલું છે; પરંતુ અમે અજ્ઞાનતાથી તેમના એ સત્ય ફરમાનને ભૂલી જઈને હિંસાના કાર્યમાં પ્રવૃત્ત થઈએ છીએ, એ દીલગીરીની વાર્તા છે. મુનીશ્વર ! આપે મારા આમંત્રણને માન આપીને અત્રે પધારી મને જે સદુપદેશ આપે છે, તે માટે આપને હું ઘણે જ અહેસાનમંદ છું અને તેથી મારી ઈચ્છા એવી છે કે આપ કોઈ પણ મૂલ્યવાન ચીજને મારી પાસેથી સ્વીકાર કરીને મને ઉપકૃત કરશો ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290