Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 264
________________ સ્થિત્યંતર. ૨૪૦ કરવી જોઈએ, તેને બદલે તું આમને પકડીને અહીં લઈ આવ્યું તે ગ્ય કર્યું નથી; માટે તેમને તત્કાળ મુક્ત કરીને તેઓ કહે તે સ્થળે તેમને પહોંચતાં કરવાની ગોઠવણ તુરતજ કરીને પાછો અહીં ચાલ્યો આવજે.” અમરસિંહે કહ્યું. “પિતાજી! આપનું કથન સત્ય છે કારણ કે તેમને પકડવામાં મારી ભૂલ થયેલી છે, એ હું કબુલ કરું છું અને તે માટે આપની ક્ષમા માગું છું. આપની આજ્ઞા મુજબ તેમને યેગ્ય સ્થળે પહોંચાડીને હૂમણાં જ હું પાછો આવું છું.” એ પ્રમાણે કહીને અમરસિંહ પકડી લાવેલ સ્ત્રીઓ તથા બાળકને લઈને ત્યાંથી જવાનું કરતો હતો, એટલામાં પ્રતાપસિંહે તેને જતાં અટકાવ્યું અને તે માંહેના એક દશેક વર્ષના બાળક તરફ જોઈને પૂછ્યું. “તારું નામ શું છે?” મારૂં નામ?” બાળકે જરા અજાયબી દર્શાવતાં જવાબ આપે, “મારું નામ સીકંદરખાં છે. ” સીકંદરખાં!” પ્રતાપસિંહે કહ્યું. “તારી પાસે ઉભેલ આ પરિવાર કેને છે તથા તું કે બેટે છે?” મોગલસેન્યના શેરમર્દ સિપાહસોલાર ખાનખાના અબ્દુલ રહીમખાના સુપ્રસિદ્ધ નામને તે તમે સાંભળ્યું છે ને ? આ પરિવાર તેમને જ છે અને હું પણ તેમનો જ બેટે છું.” “બહુ સારું. હું તમને સર્વને તમારા પિતાના નિવાસસ્થાને સુખરૂપ પહોંચાડવાની ગોઠવણ કરું છું. તમે સર્વ મારા કુમાર અમરસિંહ સાથે જાઓ; તે તમને તમે કહેશે ત્યાં પહોંચતાં કરશે.” પ્રતાપસિંહે એ પ્રમાણે કહીને અમરસિંહને તેમની સાથે જવાની સૂચના કરી. અમરસિંહ પોતાના પિતાની આજ્ઞા મુજબ તેમને સર્વને લઈને ત્યાંથી ચાલે ગયે. તે પછી પ્રતાપસિંહે ભામાશાહ તરફ જોઈને કહ્યું. “મંત્રીશ્વર ! આ સમયે શરૂઆતમાં જ મગનું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290