________________
૨૨૮
ભાગ્યવિધાયક ભામાશાહ. બરોબર આ સમસે પચીસેક વર્ષની એકતરૂણીએ શાહજાદા સલીમની સન્મુખ આવીને કહ્યું. શાહજાદા સાહેબ ! કેને આપની રાજરાણી બનાવવાને માગે છે?”
શાહજાદાએ નીસામાંજ જવાબ આપે. “તને, મારી રજી. યા ! તને જ. બીજી કેને?”
તે આવનાર તરૂણું ઉમરાવ હૈની બીબી ૨જીયા જ હતી. તેણે કહ્યું. “ખોટી વાત! આપ તે પેલી નાદાન છોકરી મહેરને આપની રાજરાણું બનાવવાને માગો છો; કેમ ખરું ને?”
મહેર ! હા, મહેરને, પછી છે કાંઈ?” શાહજાદાએ પુનઃ નીસામાં જ જવાબ આપે.
ઠીક, તે પછી મને વિસારી મૂકશો ને?” અને જે મને આ પ્રમાણે વિસારી મૂકવાને માગતા હતા, તે પછી મારી સાથે પ્રેમસંબંધ શા માટે બાં ?” રજીયાએ કર્કશતાથી પ્રશ્ન કર્યો.
૨જીયાના કર્કશ સ્વરથી શાહજાદાને જરા ભાન આવ્યું. તેને લાગ્યું કે નીસામાં તેણે કાચું કાપ્યું હતું અને તેથી પોતાની થયેલ ભૂલને સુધારી લેવાને માટે તે એકદમ ઉભું થઈ ગયે અને રજીયાના કમળ કરને પ્રેમથી પકડીને તેને પિતાની તરફ ખેંચીને બે. કેણ પ્યારી રજીયા! જીન્નતની હુરી! તું અહીં કયાંથી? તું અહીં કેટલા સમયથી આવીને ઉભી છે?”
રજી કાંઈ કાચીપી નહોતી કે તે શાહજાદાનાં આ ઉપર ઉપરનાં મીઠાં વચનેને ન સમજી શકે. તેણે ઝટ લઈને તેના હાથને તરછોડી નાંખીને કહ્યું. “નહિ, શાહજાદા સાહેબ ! હું હવે તમારાં મીઠાં મીઠાં વચનથી ભેળવાઈ જવાની નથી. તમે મહેરને ચાહતા
અને તેને આપની રાજરાણું બનાવવાને માગતા હે, ભલે, હું મારે આ ચાલી. આપના જેવા ચંચળ ચિત્તના પુરૂષ સાથે પ્યાર બાં ધવાથી જે આવું ફળ મળતું હશે, એવી મને પ્રથમથી ખબર હોત, તે હું મારા ખાવિંદને વિશ્વાસઘાત કરીને કદિ પણ આપની સાથે પ્રેમ જોડવાને આવત નહિ.”
આ પ્રમાણે કહીને રજીયા ત્યાંથી રીસાઈને ચાલી જવા લાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org