SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ - શાહજાદા સલીમ. - રર૯ એટલે શાહજાદાએ તેને હાથ પકડીને તેને ઉભી રાખી અને મંદ સ્મિત કરતાં કહ્યું. “મારી દિલબર ! શા માટે રીસાય છે? શામાટે તારા નાજુક દિલને દુઃખી કરે છે? શાબના બેહદ નીસામાં મારાથી કાંઈ તને અપમાનકારક શબ્દો કહી જવાયા હોય, તે તે માટેનું મને માફ કર, કારણ કે શરાબના નશામાં મારાથી ઘણીવાર ન બલવાના શબ્દો બોલી જવાય છે, તે તું કયાં નથી જાણતી કે ના. હક મારા ઉપર ક્રોધ કરે છે?” રજીઆએ કાંઈક શાંતિને ધારણ કરીને કહ્યું. “શાહજાદા સાહેબ ! હું આપના ઉપર ક્રોધ કરતી નથી, પરંતુ જે આપ મહેરને–પેલી એક વખતની કંગાલ છોકરીને ચાહતા હે અને તેને જ તમારી રાજરાણી બનાવવા માગતા હે, તે પછી આપને મારી શી જરૂર છે? અને આપ જ્યારે તેને વધારે મહત્વ આપવાને માગે છે, ત્યારે મારે અહીં આવવાનું પ્રયોજન પણ શું છે?” રજીયા! જીગર !” શાહજાદાએ રજીયાને મનાવતાં કહ્યું “તું નાહક વહેમાય છે. નીસાના આવેશમાં મહેર વિષે હું કાંઈ આડું અવળું બોલી ગયો હઉ, તે તે તરફ તારે જરા પણ ધ્યાન આપવું જોઈએ નહિ. મહેર ગમે તેવી રૂપસુંદરી હોય, તે તેની મને શી પરવા છે? હું તે બસ તને જ ખરા હૃદયથી ચાહું છું અને તેથી જ્યારે હું હિન્દુસ્થાનનો શહેનશાહ થઈશ, ત્યારે તને જ મારી શહેનશાહબાનુ બનાવીશ, એવું મેં જે વચન તને આપ્યું છે, તેને હું વિસરી ગયે નથી. વળી આજે તને પુન: પણું કહું છુ કે હું મારા એ વચનને ગમે તે ભેગે પાળવાને તૈયાર જ છું. હવે તને મારા પ્રેમનો વિશ્વાસ આવે છે, મારી ? રજીયા શાહજાદાના ભોળા દિલને જાણતી હતી અને તેથી તેણે હસીને જવાબ આપે. “પ્યારા ! આપના પ્રેમને મને વિશ્વાસ જ છે અને તેથી આપે આપેલ વચનને ગમે તે ભોગે આપ પાળશે, એવી મને સંપૂર્ણ ખાતરી જ છે, પરંતુ આપ હવે શરાબના સનની કાંઈ હદ રાખે તે ઠીક નહિ તે પછી આપની તબિયતને ભેટે ધક્કો લાગશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy