________________
૨૩e
ભાગ્યવિધાયક ભામાશાહ.
શાહજાદાએ રજીયાને પોતાના આસન ઉપર પિતાની પાસે જ બેસારીને અને તેનાં ગુલાબી ગાલ ઉપર ચુંબન ભરીને કહ્યું.
પ્યારી ! હું ઘણું જાણું છું કે શરાબનું વ્યસન ખરાબ છે, પરંતુ મને તેને એટલે બધે રસ લાગી ગયા છે કે મારાથી તેને છેડાતું નથી, તેમ છતાં તારી વ્યાજબી સલાહને માન આપીને હું તેને ઓછું કરવાનો પ્રયાસ અવશ્ય કરીશ. જેધા અને જગત પણ મને તે વિષે બહુજ શિખામણ આપે છે, પરંતુ ખરાબ દેતેના સહવાસથી શરાબને હું છોડી શકતું નથી. ઠીક, પણ મહમદ કયાં ગયા?”
તે તે હું જ્યારે અહીં આવી, ત્યારને ચાલ્યા ગયે છે.” ૨જીયાએ કહ્યું,
હું, રજીયા, પણ પેલા કાગળનું શું થયું? મને લાગે છે કે બાબાના હાથમાં એ કાગળ ગયા જોઈએ.” સલીમે કહ્યું.
હા, આપની ધારણા સત્ય છે કારણ કે એ વખતે વિજ્યને એ કાગળ આપીને હું તેને સમજાવતી હતી, તે વખતે ખુદ શહેનશાહ હિન્દુના પિશાકમાં સજજ થઈને ત્યાં આવી પહોંચ્યા હતા. તેમના આગમનથી હું તે તુરતજ પલાયન થઈ ગઈ હતી, પરંતુ વિજય ત્યાંને ત્યાંજ ઉભે રહ્યો અને શહેનશાહે તેની સાથે ઘણીવાર સુધી વાર્તાલાપ કર્યો હતો અને તેથી મારો એ કાગળ અવશ્ય તેમના હાથમાં જ ગયે હશે.”રજીયાએ સલીમની ધારણાને સ્વીકારતાં પિતાની માન્યતા કહી બતાવી.
એ કાગળ જે બાબાના હાથમાં ગયે હશે, તે તે આપણું પૂરી ફજેતી થવાની છે, પરંતુ રજીયા ! તે તે કાગળમાં શી હકીકત લખેલી હતી?” સલીમે જીજ્ઞાસાથી પૂછયું.
“શી હકીકત લખેલી હતી, કેમ? શહેનશાહ વિરૂદ્ધ આપણે જે બળ જગાડવાનાં છીએ અને આપણું તથા પાક ઈસલામ ધર્મના વિરોધી અબુલફજલ વગેરેને કાંટે આપણા માર્ગમાંથી દૂર કરવાની આપણે જે ઈચ્છા ધરાવીએ છીએ, તે વિષે કેટલાક ખુલાસા અને ગુપ્ત બાતમીને તે કાગળમાં લખવામાં આવેલી હતી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org