________________
શાહજ સલીમ. તેથી તે કાગળ જે શહેનશાહના હાથમાં ગયે હશે તો આપણી બધી ગોઠવણ ધૂળમાં મળવાનો સંભવ છે. મને લાગે છે કે આપણે વિજયને એ કાગળ વિષે પૂછીએ તે શી હરક્ત છે?” રજીયાએ કાગળની હકીકત કહેતાં પ્રશ્ન કર્યો.
નહિ, તેને હવે એ વિષે કાંઈપણ પૂછી શકાય તેમ નથી, કારણ કે તે બાબાને માનીતે થઈ પડે છે અને તેથી તેને કાગળની હકીકત પૂછવાથી કાંઈ અર્થ સરે તેમ નથી.” શાહજાદાએ જવાબ આપ્યા છે.
“ઠીક, જવાદે એ વાતને, પરંતુ બળ જગાડવા સંબંધી આપ હવે શું નિશ્ચય ઉપર આવ્યા છે ?” રજીયાએ વિષયને બદલીને સ્વાલ કર્યો. .
બળ જગાડ એ ચોક્કસ છે; પરંતુ કયારે અને શી રીતે જગાડ, તે વિષે મેં હજુ કશે પણ નિશ્ચય કર્યો નથી. બાદશાહને રાજધાનીને ત્યાગ કરીને દૂરના દેશમાં યુદ્ધાદિ કારણસર જવાનું થાય, તે બળ જગાડીને રાજધાનીને કબજો મેળવવાનું કાર્ય સહેલું થઈ પડે તેમ હોવાથી હું તેની જ રાહ જોઈ રહ્યો છું. કેટલાક મુસલમાન સરદારને તે મેં આપણા પક્ષમાં સામેલ કરી દીધા છે પરંતુ રાજપૂત અને અન્ય હિન્દુ સરદારે અને અમીરે આપણું પક્ષમાં આવતા નથી. તેઓ તે બાદશાહને માટે પોતાના પ્રાણુ આપવાને પણ તૈયાર છે અને તેથી બળવો જગાડવાનું કાર્ય હાલ તુરત સહેલું નથી. અબદુલકાદરે મને ગઈ કાલેજ ખબર આપી છે કે બાદશાહ દક્ષિણમાં ખાનદેશ તરફ યુદ્ધ કાર્યને માટે જવાના છે અને જે આ ખબર ખરી હોય અને તેઓ રાજધાનીને ત્યાગ કરીને દક્ષિણમાં જવાના હોય તે પછી રાજધાની અને ખજાનાને કબજે મળવાનું કાર્ય આપણને બહુજ સરલ થઈ પડે તેમ છે તથા એક વખત તેને કબજે આપણું હાથમાં આવી ગયો કે પછી બાદશાહથી ડરવાનું આપણને કશું પ્રયોજન નથી.” સલીમે બળ જગાડવાની પિતાની ગોઠવણ કહી બતાવી.
“આપની ગોઠવણ તે ઘણીજ સારી છે અને ખુદાતાશાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org