SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર: ભાગ્યવિધાયક ભામાશાહ. રહેમથી તે પાર પણ પડશે, પરંતુ તે પછી–એટલેકે આપ શહેનશાહ થયા પછી આપની આ નાચીજ દાસીને ભૂલી તે જશો નહિ ને ? રજીયાએ અર્થસૂચક દ્રષ્ટિથી પૂછયું. “નહિ પ્યારી રજીયા !” સલીમે રજીયાને આલીંગન આપીને કહ્યું. “તને તે હું કદિ પણ ભૂલી જવાને નથી; કિન્તુ જ્યારે હું સમસ્ત હિન્દુસ્થાનને શહેનશાહ થઈશ ત્યારે તને મારી સામ્રાજ્ઞી બનાવીશ.” રજીયા શાહજાદા સલીમની અપૂર્વ પ્રીતિ જોઈને ખુશી થઈ ગઈ. આનંદના અતિરેકથી તેનું સુંદર મુખ ખીલી ઉઠયું. તેણે સેનાની ખાલી શરાબથી ભરીને શાહજાદાને પ્યારથી આપતાં કહ્યું, નામવર શાહજાદા ! પ્યારા જીગર ! મારા તરફની આપની અપૂર્વ પ્રીતિ જોઈને હું આપની ઘણું જ અહેસાનમંદ છું.” શાહજાદાએ રજીયાના હાથમાંથી શરાબની પ્યાલી લઈને તેને ગટગટાવીને કહ્યું. “વાહવાહ રછયા! શરાબકી ક્યા મજ? કયા આનંદ?” રજીયાએ પુન: બીજી પ્યાલી ભરીને આપી અને તેને પણ તે પૂર્વવત્ ગટગટાવી ગયે. તે પછી શાહજાદાએ નીસાના જોરમાં રજી થાને અનેક પ્રકારની રાજખટપટની વાત કહી દીધી અને તે પણ વધારે ને વધારે ગુપ્ત વાતે તેની પાસેથી પ્રેમનાં મીઠાં વચનોથી લોભાવીને કઢાવતી હતી. જ્યારે આ પ્રમાણે શાહજાદો સલીમ અને અમીર ફેજીની બીબી રછ શરાબમાં મસ્ત બનીને એશઆરામ જોગવતાં હતાં, ત્યારે શહેનશાહ અકબર અને તેનો મિત્ર છૂજી તેમની આ બિભત્સ ચેષ્ટાને ગુપચુપ નિહાળીને મનમાં ને મનમાં આશ્ચર્ય પામતા હતા. શાહજાદાને વધારે બેભાન અવસ્થામાં જોઈને શહેનશાહ અકબર તથા જી ઓરડામાં દાખલ થયા. રજીયાએ શરાબ પીધેલે નહિ હોવાથી તેને નીસો ચડેલે નહોતું અને તેથી તે અકબર તથા કેજીને આવેલા જોઈને આશ્ચર્ય પામી ગઈ અને બેઠી હતી ત્યાંથી એકદમ ઉભી થઈ ગઈ. શાહજાદે તે હજુ બેભાન અવસ્થામાં પડ્યો હતે અને મુખેથી “ શરાબકી કયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy