________________
શિાહજાદો સલીમ.
૨૩૩ મજ? શરાબકી કયા બાત? મારી ૨જીયા? કયા આનંદ ? ” એમ વારંવાર અસ્પષ્ટ સ્વરે બરાડતે હતો. બાદશાહે તેની પાસે જઈને તેના ખભા ઉપર જોરથી પિતાને હાથ મૂકીને ગંભીરતા પૂર્વક કહ્યું “સલીમ !”
સલીમે નીસામાંજ જવાબ આપ્યો. “દિલેજાન રછયા ! શરાબકી ક્યા મજ? શરાબકી કયા બાત ?”
અકબરે રેષપૂર્વક પુન: ગંભીરતાથી કહ્યું “સલીમ !”
આ વખતે શાહજાદાએ કાંઈ જવાબ આપે નહિ, પરંતુ નીસાના આવેશમાં ખડખડાટ હસી પડ્યો.
અકબરે તેને સંપૂર્ણ બેભાન બને જોઈને તેને જાગૃત કરવાની ખાતર તેને હાથ જોરથી ખેંચીને કહ્યું. “ સલીમ ! સાવધ થા અને જરા નિહાળીને જે કે હું કેણ છું ? હું ૨જીયા નહિ, પણ તારો બાબા અને સમગ્ર હિન્દુસ્થાનને શહેનશાહ અકબર છું, શું તું શરાબના નીસામાં એટલે બધે ચકચૂર થઈ ગયે છે કે મને ઓળખતે પણ નથી. ?”
સલીમની કન્દ્રિયમાં શહેનશાહ અકબર એ બે શબ્દનો પ્રવેશ થયે અને તેમ થતાંજ તેની જ્ઞાનેન્દ્રિય સતેજ થઈ ગઈ. તે આંખો ફાડીને અકબરની સામે પ્રથમ તે જોઈ રહ્યો, પરંતુ ત્યારબાદ તેને સંપૂર્ણ ઓળખવાથી મંત્રમુગ્ધ થઈ ગયે અને શરમથી અવનત મુખે ઉભે થઈ રહ્યો.
અકબરે તેને શુદ્ધિમાં આવેલે જાણીને પૂછયું, “ કેમ, સલીમ! હજુ તેં શરાબને ત્યાગ નથી કર્યો? તારા બાબાના હુકમને તું આવી જ રીતે અમલ કરે છે કે? ઠીક, પણ આ સ્ત્રી કેણ છે અને તે શા માટે અત્રે આવેલી છે?”
શાહજાદે તેના બાબાનાં ઉપરાઉપરી પ્રશ્નો સાંભળીને જરા ગભરાઈ ગયા અને તેથી તેણે કાંઈ જવાબ નહિ આપતાં ચુપજ રહેવું પસંદ કર્યું.
અકબરે પુન: કરડા સ્વરે પૂછયું, “ કેમ જવાબ આપતા
હે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org