________________
૨૩૪
ભાગ્યવિધાયક ભામાશાહ. નથી સલીમ ? કહે, આ સ્ત્રી કેણ છે અને તે શા કારણથી અત્રે આવેલી છે ?”
સલીમે આ વખતે પણ કોઈ જવાબ આપે નહિ, એટલે ફ્રજીએ જરા આગળ આવીને કહ્યું, “ નામવર શહેનશાહ ! શાહજાદા સાહેબને હવે શરમાવે નહિ, તેઓ મને અહીં હાજર જોઈને જવાબ આપતા અચકાય છે અને તેથી હુંજ આપના પ્રશ્નનો ઉત્તર આપું છું કે જે સ્ત્રી મારી બેવફા બીબી ૨જીયા છે; પણ અહીંઆ શું કારણથી આવી છે, તે હું આપને કહી શકતા નથી.
આ બાનુ તમારી બીબી છે, એ હું સારી રીતે જાણું છું; પરંતુ તે વાત મારે શાહજાદાના મુખમાંથી જ કઢાવવી હતી. ” શહેનશાહે ફેજીને એ પ્રમાણે કહીને સલીમ તરફ જોઈને પૂછ્યું. “સલીમ ! રજીયાબાનુ અહીં કેમ આવેલાં છે અને તેમની સાથે તું શી ખાનગી મસલત ચલાવતો હતો ?”
રાલીએ પોતાના બાબાના મુખ્ય સામે એકવાર આડી નજરે જોઈ લીધું, પરંતુ તેને ચગ્ય જવાબ આપવા જેટલી હિંમત તેનામાં નહોતી અને તેથી તે મનજ રહ્યો.
શહેનશાહે તેને કેવળ નિરૂત્તર રહેલો જોઈને કહ્યું. “સલીમ ! તું મારો યુવરાજ પુત્ર હોવાથી મારી પાછળ તું જ આ સમગ્ર શહેનશ હત સમ્રાટ થવાના છે. વળી મારી ઉમ્મર પણ જઈફ થવા આવી છે અને તેથી હું હવે નોટલું જ છું, તેટલું જીવવાને નથી, એ ચોક્કસ છે, તેમ છતાં તું મારી વિરૂદ્ધ બળે જગાડવાની ખટપટ શા માટે કરી રહ્યો છે, તે હું સમજી શકતો નથી. તોહિદ-ઈ-ઈલાહીના મતની સ્થાપનાથી કેટલાક મુસલમાને મારી વિરૂદ્ધ થઈ ગયા છે અને તેમણે જ તને આડું અવળું ભંભેરીને મારી સામે ઉશ્કેરવાની પેરવી કરી છે, પરંતુ યાદ રાખજે સલીમ ! કે તું તારી બુરી મતલબમાં કદિ પણ સફળતા મેળવવાને નથી. પાક પરવરદિગાર હમેશાં સત્યનો-ધનનીતિનેજ વિજય કરે છે અને અસત્ય-અધર્મ-અનીતિને પરાજય કરે છે અને તેથી તે તથા તારા દુષ્ટ સલાહકારોએ મારી વિરૂદ્ધ ગમે તે પ્રકારની ખટપટ રચી હશે તો પણ તમે અનીતિના માર્ગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org