SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ભાગ્યવિધાયક ભામાશાહ. નથી સલીમ ? કહે, આ સ્ત્રી કેણ છે અને તે શા કારણથી અત્રે આવેલી છે ?” સલીમે આ વખતે પણ કોઈ જવાબ આપે નહિ, એટલે ફ્રજીએ જરા આગળ આવીને કહ્યું, “ નામવર શહેનશાહ ! શાહજાદા સાહેબને હવે શરમાવે નહિ, તેઓ મને અહીં હાજર જોઈને જવાબ આપતા અચકાય છે અને તેથી હુંજ આપના પ્રશ્નનો ઉત્તર આપું છું કે જે સ્ત્રી મારી બેવફા બીબી ૨જીયા છે; પણ અહીંઆ શું કારણથી આવી છે, તે હું આપને કહી શકતા નથી. આ બાનુ તમારી બીબી છે, એ હું સારી રીતે જાણું છું; પરંતુ તે વાત મારે શાહજાદાના મુખમાંથી જ કઢાવવી હતી. ” શહેનશાહે ફેજીને એ પ્રમાણે કહીને સલીમ તરફ જોઈને પૂછ્યું. “સલીમ ! રજીયાબાનુ અહીં કેમ આવેલાં છે અને તેમની સાથે તું શી ખાનગી મસલત ચલાવતો હતો ?” રાલીએ પોતાના બાબાના મુખ્ય સામે એકવાર આડી નજરે જોઈ લીધું, પરંતુ તેને ચગ્ય જવાબ આપવા જેટલી હિંમત તેનામાં નહોતી અને તેથી તે મનજ રહ્યો. શહેનશાહે તેને કેવળ નિરૂત્તર રહેલો જોઈને કહ્યું. “સલીમ ! તું મારો યુવરાજ પુત્ર હોવાથી મારી પાછળ તું જ આ સમગ્ર શહેનશ હત સમ્રાટ થવાના છે. વળી મારી ઉમ્મર પણ જઈફ થવા આવી છે અને તેથી હું હવે નોટલું જ છું, તેટલું જીવવાને નથી, એ ચોક્કસ છે, તેમ છતાં તું મારી વિરૂદ્ધ બળે જગાડવાની ખટપટ શા માટે કરી રહ્યો છે, તે હું સમજી શકતો નથી. તોહિદ-ઈ-ઈલાહીના મતની સ્થાપનાથી કેટલાક મુસલમાને મારી વિરૂદ્ધ થઈ ગયા છે અને તેમણે જ તને આડું અવળું ભંભેરીને મારી સામે ઉશ્કેરવાની પેરવી કરી છે, પરંતુ યાદ રાખજે સલીમ ! કે તું તારી બુરી મતલબમાં કદિ પણ સફળતા મેળવવાને નથી. પાક પરવરદિગાર હમેશાં સત્યનો-ધનનીતિનેજ વિજય કરે છે અને અસત્ય-અધર્મ-અનીતિને પરાજય કરે છે અને તેથી તે તથા તારા દુષ્ટ સલાહકારોએ મારી વિરૂદ્ધ ગમે તે પ્રકારની ખટપટ રચી હશે તો પણ તમે અનીતિના માર્ગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy